મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામના પાટીયા પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધને સારવારમાં


SHARE











મોરબીના ખેવારીયા ગામના પાટીયા પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધને સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામના પાટીયા પાસે ઉભેલા વૃદ્ધને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામે નવજીવન સોસાયટીમાં રહેતા જીવરાજભાઈ વાલજીભાઈ શેરસીયા (૬૦) નામના વૃદ્ધ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા રેલવે સ્ટેશનથી ખેવારીયા ગામના પાટીયા પાસે ઉભા હતા ત્યારે કોઈ અજાણી કારના ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં જીવરાજભાઈ શેરસિયાને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા કમલેશભાઈ કાનજીભાઈ વેરાણા (૨૪) નામનો યુવાન મોરબીથી સાંજના સમયે મકનસર ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસી નજીક કોઈ અજાણ્યા વાહને તેને ટક્કર મારતા તે યુવાનને ઇજા થઈ હતી જેથી મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

ઉપરથી નીચે પટકાયો

મોરબીની લીલાપર ચોકડી નજીક રહેતો કૈલાશભાઈ હરજીભાઈ મેઘવા (૩૯) નામનો યુવાન સન ટચ લેમીનેટ નામના કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે કારખાનામાં ૧૦ ફૂટ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તે યુવાને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે રાજુભાઈ મગનભાઈ પટેલ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે






Latest News