વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે: બી.કે. શિવાની દીદી


SHARE











જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે: બી.કે. શિવાની દીદી

વર્તમાન સમયમાં લોકો સતત કામ, ટેન્શનની વચ્ચે રહેતા હોય છે ત્યારે મનમાં એક અજંપા ભરી સ્થિતિ દરેકને રહેતી હોય છે જો કે, આવા સમયમાં પણ મન શાંત બને અને જીવન ખુશહાલ બને તેના માટે મોરબી તાલુકાનાં રાજપર રોડે આવેલા ફેશન સિરામિક ખાતે આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાખવામા આવ્યું હતું જેમાં આયોજકોએ કરેલી વ્યવસ્થા પણ ટૂકી પડી તેટલી વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ તકે બી.કે. શિવાની દીદીએ લોકોએ ટૂંકમાં પણ ચોટદાર મેસેજ આપતા કહ્યું હતું કે, જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે

છેલ્લા દિવસથી વરસાદ હતો જેથી કરીને આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડીમાં રાખવામા આવ્યું હતું તે કાર્યક્રમના સ્થળને બદલાવીને આ કાર્યક્રમ શનાળાથી રાજપર ગામ વચ્ચે રાજપર રોડ પર આવેલા ફેશન સિરામીક ખાતે રાખવામા આવ્યો હતો અને તેમાં ન માત્ર મોરબી પરંતુ બહારથી પણ મોટી સંખ્યામાં લોકોએ આવ્યા હતા જેથી કરીને આયોજકોએ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય સાંભળવા માટે આવનારા લોકો માટે જે બેઠક વ્યવસ્થા સહિતનું આયોજન કર્યું હતું તે ટુકું પડ્યું હતું એટલી વિશાળ સંખ્યામાં લોકો બી.કે. શિવાની દીદીને સાંભળવા માટે આવ્યા હતા

આ તકે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદીએ શાંત મનખુશહાલ જીવન વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું ત્યારે કહ્યું હતું કે, કોઈપણ ક્ષમ આપવાની અને કોઇની પણ ક્ષમા માંગી લેવી તે જીવનમાં જરૂરી છે ખાસ કરીને ભગવાને આપણી અંદર જ સર્વ શક્તિ આપેલ છે તો પણ લોકો બીજા ઉપર આશા રાખીને બેઠા હોય છે ત્યારે દરેક વ્યક્તિએ હું પવિત્ર આત્મા છું, હું શાંત સ્વરૂપ આત્મા છું, હું શક્તિશાળી આત્મા છું, હું પ્રેમ સ્વરૂપ આત્મા છું, હું સુખ સ્વરૂપ આત્મા છું અને હું સતોગુણ આત્મા છું આ રોજ બોલવું જોઈએ તેનાથી જીવનમાં ખૂબ જ પરીવર્તન આવશે અને અંતમાં તેઓએ કહ્યું હતું કે, જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે






Latest News