હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિતે બે દિવસીય યોગ શિબિર યોજાશે


SHARE











મોરબીમાં પ્રધાનમંત્રી મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિતે બે દિવસીય યોગ શિબિર યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મદિવસ નિમિતે ગુજરાતમાં ૭૩ યોગ શિબિર યોજાવાની છે ત્યારે મોરબી જિલ્લામાં બે દિવસની યોગ શિબિર યોજવાની છે જેમાં આવનારા લોકોને ઓનલાઈન ફોર્મ ભરીને તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની યોગમય ઉજવણી મોરબીમાં કરવામાં આવશે અને બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં ૭૩ સ્થળોએ બે દિવસની નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે મોરબીમાં રામોજી ફાર્મ, કેનાલ રોડ, મોરબી ખાતે તા ૧૬ અને ૧૭ ના રોજ સવારે ૬ થી ૮ બે દિવસની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ ઘર-ઘર સુધી યોગ પહોંચે જેથી દરેક વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે. રોગ, ચિંતા, તનાવથી મુક્ત બને. યોગને જીવનમાં અપનાવે અને હંમેશા સવસ્થ અને સુખી રહે તે હેતુથી છે.

મોરબી જિલ્લાના દરેક નાગરિકો, યોગ વિષયમાં રુચિ ધરાવનાર વ્યક્તિઓ, યોગ પ્રેક્ટિસ કરનાર યોગ સાધકો, યોગ વિષય માં કાર્યરત સર્વે સંસ્થાઓ, યોગ કોચ, યોગ ટ્રેનર્સ-ટીચર્સ, વિવિધ આધ્યાત્મિક, વ્યાપારિક અને સામાજિક સંસ્થાઓને સભ્યો અને પરિવાર સાથે યોગ શિબિરમાં જોડાવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ શિબિરમાં આવનારા લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ (અંગ્રેજી કેપિટલ લેટરમાં) ભરીને પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું છે અને તે https://forms.gle/DnFhD9pf5j4UeGeV8 આ લિન્ક ઉપરથી મળશે તેમજ વધુ માહિતી માટે યોગ ટ્રેનર મયુર કારીયા, વાલજીભાઈ પી. ડાભી (મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ)નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News