મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યએ નર્મદાની કેનલે કરેલ પેટ્રોલીંગમાં ધડાકો: ૨૦૦થી વધુ બકનળી-૧૫ થી વધુ ગેઇટ ખુલ્લા !


SHARE







મોરબીના ધારાસભ્યએ નર્મદાની કેનલે કરેલ પેટ્રોલીંગમાં ધડાકો: ૨૦૦થી વધુ બકનળી-૧૫ થી વધુ ગેઇટ ખુલ્લા !

મોરબી જીલ્લામાં નર્મદની ત્રણ કેનાલ આવે છે જો કે, છેવાડાના કમાન્ડ વિસ્તાર સુધી પાણી આવતું જ નથી જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય દ્વારા નર્મદની કેનાલ ઉપર અધિકારી અને પોલીસને સાથે રાખીને પાણી  ચોરીને રોકવા માટે પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું ત્યારે કેનાલમાથી પાણી ચોરી કરવા માટે માલવણથી હળવદ સુધીમાં ૧૫ થી વધુ ગેઇટને ખોલી નાખવામાં આવેલ જોવા મળ્યા હતા તેમજ એક કે બે નહીં પરંતુ ૨૦૦ જેટલી બકનળી જોવા મળી હતી જેથી કરીને નર્મદાનાં અધિકારીને પાણીની ચોરી કરનારાઓની સામે ફરિયાદો નોંધવા માટે ધારાસભ્યએ કહ્યું છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને માળીયા મિયાણા તાલુકાના છેવાડાના ગામના ખેડૂત આગેવાનો દ્વારા નર્મદા કેનાલમાં છેવાડાના કમાન્ડ વિસ્તાર સુધી પાણી આવતું ન હોવાથી પાણીનો ચોરી કે પછી પાણીનો બગાડ કયા થાય છે તે જોવા માટે કેનાલ ઉપર પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું ત્યારે નર્મદા નિગમના અધિકારી, પોલીસ સહિતનાઓ પણ સાથે હતા ત્યારે ઢાંકીથી માલવણ થઈને માળીયા તરફ આવતી નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી તો પૂરતા પ્રમાણમા આપવામાં આવે છે તો પછી છેલ્લે કેમ પાણી આવતી નથી તે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ઉપરવાસમાં બેફામ પાણી ચોરી અને પાણીનો બગાડ થતો હોવાનું સામે આવ્યું હતું ત્યારે ધારાસભ્યએ સિંચાઈની જરૂરત છે ત્યાં પાણી આવતુ નથી અને પાણીનો બગાડ કરવામાં આવે છે તે યોગ્યાં નથી એન સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ નર્મદાનાં અધિકારીઓની મિલીભગ્ત છે એટલા જ માટે આ ગેઇટ ખૂલી જાય છે અને બકનળીથી પાણી ખેચવામાં આવે છે અને માળીયાના ખેડૂતોને પાણી મળી રહ્યું નથી જેથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ બેફામ પાણી ચોરી અને પાણીનો બગાડ કરનારાઓની સામે ગુના નોંધવા માટે જવાબદાર અધિકારીને સૂચના આપી હતી અત્રે ઉલેખનીય છે કેનર્મદા કેનાલ ઉપર પેટ્રોલીંગ દરમ્યાન ૨૦૦ થી વધૂ બકનળી અને ૧૫ જેટલા ગેઇટ ખુલ્લા જોવા મળ્યા હતા અને કેનાલમાં નીચેથી બોર કરીને પાણીનું બેફામ ચોરી કરવામાં આવી રહી છે વધુમાં ધારાસભ્યએ નર્મદાનાં અધિકારી  અને કોન્ટ્રાકટર ઉપર રૂપિયા લેતા હોવાની આક્ષેપ કરેલ છે અને માળીયા સુધી પાણી ગમે તેમ કરીને પહોચડવા માટે અધિકારીને આકરા શબ્દોમાં કહી દીધું છે






Latest News