મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીક પગ લપસતા કેનાલમાં પડી જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના ઉંચી માંડલ નજીક પગ લપસતા કેનાલમાં પડી જવાથી યુવાનનું મોત

મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાનો રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાન ઉંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પગ લાપસી જતા પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને તેની લાશ પાણીમાં દેખાતા તેને બહાર કાઢીને ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવની મૃતકના નાના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે અકસ્માતાના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ યુપીના ફિરોઝાબાદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમમાં મેગાસિટી સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વિનોદકુમાર નોબતસિંહ કુશવાહા જાતે ઠાકૂર (૩૩) ઉંચી માંડલ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પગ લપસતા પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેની લાશ એકોર્ડ પ્લસ સીરામીક કારખાનાની સામે આવેલ નાલા પાસે તરતી હોય તેને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ અંગેની મૃતકના નાનાભાઈ બબલુ નોબતસિંહ કુશવાહા જાતે ઠાકૂર (૨૭) રહે. હાલ મેગાસિટી સીરામીક મૂળ રહે. યુપી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News