ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામની નકલંગ સોસાયટીમાં પરણીતાએ અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીના ખાખરાળા ગામની નકલંગ સોસાયટીમાં પરણીતાએ અંતિમ પગલું ભર્યું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે નકલંગ સોસાયટીમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામની નકલંગ સોસાયટીમાં રહેતા રામભાઈ નાગદાનભાઈ સાવસેટાના ઘરે તેના પત્ની કિરણબેન રામભાઈ સાવસેટા (૩૧)એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ આવ્યા હતા અને આ બનાવની ભુપતભાઈ આયદાનભાઈ સાવસેટા દ્વારા ફોનથી મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી માટે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એલ. ઝાલા ચલાવી રહ્યા છે

યુવનનું મોત

મૂળ નોર્થ વેસ્ટ દિલ્હીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટિયા પાસે આવેલ લીંકિંગ ફૂટવેર નામના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ કનૈયાલાલ શર્મા જાતે બ્રાહ્મણ (૪૯) ટંકારાની બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા પડી ગયા હતા અને છાતીમાં દુખાવો ઉપડતા ગભરામણ પણ થવા લાગી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી.સીદિકી ચલાવી રહ્યા છે






Latest News