મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ મોરબીમાં મિત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાનને પડખા અને હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંક્યા
Breaking news
Morbi Today

હરરાજીમાં ધનનો ઢગલો: વાંકાનેર પાલિકામાં મેળાના મેદાની ઐતિહાસિક ૧૯.૫૧ લાખ આવક


SHARE









હરરાજીમાં ધનનો ઢગલો: વાંકાનેર પાલિકામાં મેળાના મેદાની ઐતિહાસિક ૧૯.૫૧ લાખ આવક

મોરબી જિલ્લાના વાંકાનેરમાં મેળાના મેદાનની પાલિકા કચેરી ખાતે હરરાજી રાખવામા આવી હતી જેમાં કુલ મળીને ૯\ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી ત્યારે સૌથી ઊંચી બોલી ૧૯.૫૧ લાખની બોલી લગાવી હતી જેથી કરીને મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા આ વર્ષે ૧૯.૫૧ લાખમાં આપવામાં આવ્યું છે

વાંકાનેર પાલિકા દ્વારા મેળાના મેદાન માટે હરરાજી કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૯ પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે વાંકાનેર પાલિકા દ્વારા નજીવી રકમમાં મેળાનું મેદાન આપી દેવતું હતું પરંતુ ગત વર્ષે રાજકીય સમરાંગણ હતું જેથી કરીને હરરાજી કરીને મેદાન આપવામાં આવ્યું હતું ત્યારે મેળાનું મેદાન ૧૧.૫૧ લાખમાં આપવામાં આવ્યું હતું જો કે, આ વર્ષે પાલિકામાં મેળાના મેદાન માટેની હરરાજી કરવામાં આવી હતી ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પણ ત્યાં હજાર રહ્યા હતા ત્યારે પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા હરરજીની પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં જુદીજુદી લોકો દ્વારા મેળાના મેદના માટે ૨.૮૦ લાખથી બોલી લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને સૌથી ઊંચી ૧૯.૫૧ લાખની બોલી ફિરોજભાઈ ઠાસરિયા દ્વારા લગાવવામાં આવી હતી જેથી મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા તેને આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી મેળાના મેદાન માટે હરરજી કરવામાં આવે છે જેથી કરીને પાલિકાને લખો રૂપિયાની આવક થાય છે 






Latest News