મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ !
Breaking news
Morbi Today

મોરબીના લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં ભાગવત કથાનું આયોજન


SHARE











મોરબીના લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં ભાગવત કથાનું આયોજન

મોરબીના લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટ શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે ભાગવત કથાનું તા.૨૪-૭ થી ૩૦-૭ દરોજ બપોરે ૩ થી ૬ આયોજન કરાયેલ છે. સર્વ ધર્મપ્રેમીઓને જણાવવામાં આવેલ છે કે શ્રી અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણની યશોગાથા મોરબીની પવિત્ર ધરતી ઉપર પતિત પાવની એવી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના માધ્યમથી શુભ આયોજન કરવામાં આવેલ કરેલ છે.આ દિવ્ય જ્ઞાનયજ્ઞમાં જીવ, જગત અને જગદીશનો સબંધ સમજી જીવનને નારાયણ પ્રિય બનાવી સાર્થક કરવામાં સંસારરૂપી ગૃહસ્થ ધર્મને સમજવા ઈશ્વરના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સૌને પધારવા જાહેર નિમંત્રણ છે.

કથા પ્રારંભ અધિક શ્રાવણસુદ ૬ ને સોમવાર તા.૨૫-૭ થી થયેલ છે અને કથા વિરામ અધિક શ્રાવણ સુદ ૧૧ ને રવિવાર તા.૩૦-૭ ના રોજ થશે.આ કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યોપ્દેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રીરામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ઉજવાશે કથાના વક્તા તરીકે  મોરબીના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા આ દિવ્યકથાનું રસપાન કરાવશે.કથા લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટ શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતે યોજાએલ છે.કથાનો સમય બપોરે ૩ થી ૬ કલાક સુધીનો રહેશે.કથા શ્રવણ માટે  મહિલા મંડળો તેમજ ગોપી મંડળોને તેમજ જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવેલ છે






Latest News