મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં ભાગવત કથાનું આયોજન


SHARE











મોરબીના લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં ભાગવત કથાનું આયોજન

મોરબીના લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટ શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે ભાગવત કથાનું તા.૨૪-૭ થી ૩૦-૭ દરોજ બપોરે ૩ થી ૬ આયોજન કરાયેલ છે. સર્વ ધર્મપ્રેમીઓને જણાવવામાં આવેલ છે કે શ્રી અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણની યશોગાથા મોરબીની પવિત્ર ધરતી ઉપર પતિત પાવની એવી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના માધ્યમથી શુભ આયોજન કરવામાં આવેલ કરેલ છે.આ દિવ્ય જ્ઞાનયજ્ઞમાં જીવ, જગત અને જગદીશનો સબંધ સમજી જીવનને નારાયણ પ્રિય બનાવી સાર્થક કરવામાં સંસારરૂપી ગૃહસ્થ ધર્મને સમજવા ઈશ્વરના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સૌને પધારવા જાહેર નિમંત્રણ છે.

કથા પ્રારંભ અધિક શ્રાવણસુદ ૬ ને સોમવાર તા.૨૫-૭ થી થયેલ છે અને કથા વિરામ અધિક શ્રાવણ સુદ ૧૧ ને રવિવાર તા.૩૦-૭ ના રોજ થશે.આ કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યોપ્દેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રીરામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ઉજવાશે કથાના વક્તા તરીકે  મોરબીના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા આ દિવ્યકથાનું રસપાન કરાવશે.કથા લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટ શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતે યોજાએલ છે.કથાનો સમય બપોરે ૩ થી ૬ કલાક સુધીનો રહેશે.કથા શ્રવણ માટે  મહિલા મંડળો તેમજ ગોપી મંડળોને તેમજ જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવેલ છે






Latest News