ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ભુજ-દિલ્હી વચ્ચે વંન્દે માતરમ ટ્રેન અને તેના કનેક્ટિવિટી દિલ્હી-હરિદ્વાર ટ્રેનની રેલ્વે મિનિસ્ટર તથા રેલ મંત્રાલયમાં રજુઆત કરતા સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE







ભુજ-દિલ્હી વચ્ચે વંન્દે માતરમ ટ્રેન અને તેના કનેક્ટિવિટી દિલ્હી-હરિદ્વાર ટ્રેનની રેલ્વે મિનિસ્ટર તથા રેલ મંત્રાલયમાં રજુઆત કરતા સાંસદ વિનોદભાઇ ચાવડા
 

કચ્છથી હરિદ્વાર માટે સાપ્તાહિક ટ્રેનની જાહેરાત રેલ્વે મંત્રાલયમ તરફથી થઈ છે.જેને આવકારતા કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ લોક સભા સત્ર દરમ્યાન રેલ્વે મિનિસ્ટર પાસે ભુજથી દિલ્હી દૈનિક “વંન્દે માતરમ” ટ્રેન સેવા શરૂ થાય અને તેના કનેક્ટિવિટી ટાઈમમાં દિલ્હીથી હરિદ્વાર ટ્રેન સેવા થાય તો લાખો લોકોના માટે ફાયદાકારક બનશે.

વધુમાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, દેશના પાટનગર દિલ્હી માટે કચ્છથી એકમાત્ર ભુજ-બરેલી (આલા હઝરત) ટ્રેન છે.એક જ ટ્રેન હોવાથી રૂટમાં આવતા બધા નાના-મોટા શહેરો ની સુવિધા અર્થે સ્ટોપેજ ફાળવ્યા છે.પરંતુ સુપર ફાસ્ટ ટ્રેનની સુવિધા ખુબજ જરૂરી છે. માટે “વંન્દે માતરમ” ટ્રેન શરૂ થાય અને દિલ્હીથી હરીદ્વાર ટ્રેન કનેકશન મળે તો લાખો લોકોને તેનો લાભ મળે.પ્રગતિશીલ કચ્છમાં ઉતર ભારતના લાખો લોકો ધંધા ઉધોગ અને રોજગારી માટે વસેલા છે.તેમને તથા કચ્છના લોકોને ચારધામ - હરિદ્વાર અને પ્રવાસન સ્થળોએ દર્શન અને ફરવાનો લાભ મળે માટે લેખિત-મૌખિક રજૂઆત રેલ્વે મિનિસ્ટર અશ્વિનીજી અને રાજય કક્ષા રેલ મિનિસ્ટર દર્શનાબેન જરદોશ પાસે કરેલ છે.તેમના તરફથી સારો પ્રતીભાવ મળેલ છે.

મચ્છુ-૨ સિંચાઈ યોજનાનું પાણીથી ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરો : કે.ડી.બાવરવા

મોરબીના કે.ડી.બાવરવાએ જણાવેલ છે છે કે મચ્છુ-૨ ડેમના પાંચ દરવાજાની  નવા બનાવવાના હોય મચ્છુ-૨ ડેમનું પાણી ખાલી કરવામાં આવનાર છે. તો અમારી માંગણી છે કે મચ્છુ-૨ ડેમનું પાણી નદીમાં વહાવીને દરિયામાં જાય તેના કરતા મોરબી-માળિયા વિસ્તારના ગામોના તળાવો ભરી આપવા જોઇએ તેઓએ રાજયના મુખ્યમંત્રીને આ અંગે માંગ કરી છે અને યોગ્ય આદેશો કરવા વિનતી કરેલ છે તેમજ આ કામ માટે સરકારને કોઈપણ ખર્ચ થાય તેવું નથી કે નથી વીજળીનો ઉપયોગ કરવાનો તો આ કામ કરવામાં આવે તેવી તેઓએ માંગણી કરી છે જો આવું કરવામાં આવશે. તો તળાવની આજુબાજુના ખેડૂતો ઢોરો માટેનો ચારો ઉગાળી શકશે અને ઢોરોને પણ પીવાનું પાણી મળી રહેશે તો આ બાબતે યોગ્ય કરવા વિનતી. કાન્તિલાલ ડી. બાવરવા (જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન) એ માંગ કરેલ છે.






Latest News