સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કર્યું


SHARE





ટંકારાના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કર્યું

ટંકારાના લખધીરગઢ ગામે આવેલ પ્રાથમિક શાળામાં તુલસી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તુલસી માત્ર છોડ નથીપરંતુ તે ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. લગભગ દરેકના ઘરમાં તુલસીના છોડ હોય જ છેપરંતુ તેનું શું મહત્વ છે તે બધાં બાળકો જાણતા હોતા નથી. તેમના ઔષધીય ગુણોથી પરિચય હોતા નથી. જેમ કે તુલસીનો છોડ જંતુઓને ભગાડે છે. તુલસીના છોડમાં ઉચ્ચ પોષણ મૂલ્ય હોય છે. તુલસી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તુલસીનો છોડ સ્વસન સંક્રમણ સામે લડી શકે છે. તુલસીનો છોડ હૃદયને ફાયદો કરે છે. તુલસીનો છોડ દાંતના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. અને તુલસીનાં સેવનથી અગણિત લાભ થતાં હોવાથી તેનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે. 'સુશ્રુત સંહિતાઅને 'ચરક સંહિતામાંપણ તુલસીને ગુણકારી કહેવામાં આવી છે.  તુલસી એક ઉત્તમ ઔષધિ છે. ભારતીય પૌરાણિક હિંદુ ફિલસૂફીમાં નોંધનીય છે. તુલસીના છોડને અંગ્રેજીમાં હોલી બેસિલ કહે છે. ભારતમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારની તુલસી જોવા મળે છે. રામ તુલસીકૃષ્ણ તુલસી અને વન તુલસી. આવી બધી વાતો શાળાના શિક્ષિકા પીપલીયા જીવતીબેનહીનાબેન દેવમુરારીધર્મિષ્ઠાબેન માકાસણા અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી અને અંતમા તુલસી માતાનું પૂજન કર્યું હતું




Latest News