મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના હોદેદારો માટે ૧૬ મીએ ચૂંટણી: પ્રમુખ પદ માટે પાંચ ઉમેદવારો મેદાનમાં


SHARE







 

મોરબી બાર એસો.ના હોદેદારો માટે ૧૬ મીએ ચૂંટણી: પ્રમુખ પદ માટે પાંચ ઉમેદવારો મેદાનમાં

મોરબી બાર એસોસિએશનના હોદેદાર બનવા માટે આગામી તા ૧૬ મી ના રોજ ચુંટણી યોજાવાની છે જેના માટે પ્રમુખ સહિતના હોદા માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે અને જે ઉમેદવારોને ફોર્મ પાછા ખેચવા હતા તેમને ફોર્મ પાછા લઇ લીધા પછી હાલમાં ચુંટણીના જંગમાં પ્રમુખ પદ માટે પાંચ, ઉપપ્રમુખ પદ માટે ચાર, સેક્રેટરી માટે ત્રણ, જોઈન્ટ સેક્રેટરી માટે ત્રણ અને કારોબારી સભ્ય માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે જેના માટે આગામી તા ૧૬ મીએ મતદાન યોજાશે

મોરબીની કોર્ટમાં આગામી દિવસોમાં મોરબી બાર અશોસીએશનની ચુંટણી યોજવાની છે તેના માટે પહેલા જે વકીલો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા તેમાથી કેટલાક ફોર્મને પાછા ખેંચી લેવામાં આવ્યા ત્યારે ત્યાર બાદ ઉમેદવારીની આખરી યાદીને જાહેર કરવામાં આવી છે જેમાં પ્રમુખ પદ માટે જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ, મુછડીયા કમલાબેન ધનજીભાઈ, ઓઝા મનીષભાઈ પ્રવીણચંદ્ર અને રાઠોડ જયરાજસિંહ પી.એ ઉમેદવારી નોંધાવી છે તો ઉપપ્રમુખ પદ માટે ભટ્ટ ભરતકુમાર કનૈયાલાલ, જાડેજા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ અને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ, સેક્રેટરી પદ માટે દવે મહીધરભાઈ હીમાંશુભાઈ, અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ અને માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ મેદાનમાં છે જો કે, જોઈન્ટ સેક્રેટરી પદ માટે ડાભી અમીતભાઈ વાલજીભાઈ, હડીયલ પ્રવીણભાઈ નારણભાઈ અને જાડેજા યોગરાજસિંહ જે. અને કારોબારી સભ્યપદ પાસ માટે મેંદપરા હાર્દીકભાઈ થોભણભાઈ, પરમાર દેવજીભાઈ બીજલભાઈ, રાણપરા નીરાલીબેન ડી., શેરશીયા ધવલકુમાર ડી. અને ઝાલા બ્રીજરાજસિંહ નાનુભાએ ઉમેદવારી નોંધાવી છે






Latest News