મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામે બાથરૂમની છત ઉપરથી પડી જતાં માથામાં ઈજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના નીચી માંડલ ગામે બાથરૂમની છત ઉપરથી પડી જતાં માથામાં ઈજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી નજીકના નીચ માંડલ ગામે પોતાના ઘરની અંદર કામગીરી દરમિયાન ચોકડીમાં પડી જવાથી ઈજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે ટૂંકી સારવારમાં તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નીચે માંડલ ગામે રહેતા ચંદુભાઈ દેવજીભાઈ કુંડારીયા (૪૮) પોતાના ઘરે અકસ્માતે ફળિયામાં આવેલ ચોકડીમાં પડી ગયા હતા જેથી તેને માથા અને કમરના ભાગ ઇજા થઈ હતી માટે તેને પ્રથમ સારવારમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોય આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જીગ્નેશાબેન કણસાગરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ઘરના બાથરૂમની છત ઉપર મુકેલ પાણીની ટાંકી સફાઈ કરતા હતા દરમિયાન તે ફળિયામાં આવેલ ચોકડીમાં પડી ગયા હતા જેથી કરીને તેને માથા અને કમરના ભાગે ઈજાઓ થઈ હતી અને યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે

પરણીતાનું મોત

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દાધોલીયા ગામની રહેવાસી કોમલબેન નરેશભાઈ બારૈયા નામની ૨૧ વર્ષીય મહિલાને બેભાન હાલતમાં મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને ત્યાં કોમલબેનને મૃત જાહેર કરીને બનાવની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી હતી જેથી ત્યાંના પી.બી. ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે કોમલબેન બારૈયાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેમનું મોત નીપજ્યું હતું વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે તેણીનો લગ્નગાળો અઢી વર્ષનો હતો અને સંતાનમાં એક બાળક છે. હાલ કયા કારણોસર કોમલબેને અંતિમ પગલું ભર્યું..? તે દિશામાં આગળની તપાસ માટે મોરબી પોલીસે મુળી પોલીસને જાણ કરી હતી.






Latest News