મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોંગ્રેસનો ગઢ તોડતા જીતુભાઈ સોમાણી: ૧૯૯૫૫ મતની લિડે વિજય 


SHARE







વાંકાનેરમાં કોંગ્રેસનો ગઢ તોડતા જીતુભાઈ સોમાણી: ૧૯૯૫૫ મતની લિડે વિજય 

કોંગ્રેસનાં ગઢ સમાન વાંકાનેર કુવાડવા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને મતદારોએ ખોબલે ખોબલે મત આપેલ હોવાથી આ બેઠક ઉપર આ ચુંટણીમાં કમળ ખીલી ઉઠ્યું છે અને ત્યાં હિંદુત્વનું કાર્ડ ચાલ્યું હોવાથી જીતુ સોમાણી ૧૩૦૦૦ થી વધુ મતની લીડ સાથે વિજય બનેલ છે

છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસના મહમદ જાવિદ પીરઝાદા આ બેઠક ઉપર ઉ\વિજય મેળવતા હતા જેથી કરીને કોંગ્રેસનાં ગઢ સમાન આ બેઠકને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા મતે ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીને મેદાનમાં ઉતાર્યા હતા અને વર્ષોથી લોકોના કામ કરતાં અને લોકોની વચ્ચે રહેતા જીતુભાઈ સોમાણીને મતદારોએ ખોબલે ખોબલે મત આપેલ છે જેથી કોંગ્રેસનો ગઢ આ  ચુંટણીમાં તૂટી ગયેલ છે અને ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી ૧૯૯૫૫ મતની લીડથી કોંગ્રેસનાં ઉમેદવારની સામે વિજય બનેલ છે અત્રે ઉલેખનીય છે કે, ભાજપના ચૂંટણી પ્રચાર માટે બુલડોઝર બાબા તરીકે જાણીતા યોગી આદિત્યનાથ વાંકાનેરમાં આવ્યા હતા અને કોંગ્રેસનાં ગઢ સમાન આ બેઠક ઉપર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે વધુમાં મળતી માહિતી મુજબ ભાજપના જીતુભાઈ સોમાણીને ૮૦૬૭૭ મત, કોંગ્રેસના ઉમેદવાર મહમદ જાવિદ પીરઝાદાને ૬૦૭૨૨ મત અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમ સોરાણીને ૫૩૪૮૫ મત મળ્યા છે આમ જીતુભાઈ સોમાણી ૧૯૯૫૫ મતે વિજય બનેલ છે






Latest News