મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના બાદ વહીવટી તંત્રે લીધો મહત્વનો નિર્ણય


SHARE











મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના બાદ વહીવટી તંત્રે લીધો મહત્વનો નિર્ણય

મોરબીના ઐતિહાસિક ઝુલતા પુલ તૂટી પડતા અને તેમાં અનેક લોકોના મૃત્યુ થતા સરકાર સફાળી જાગી છે અને દ્વારકા સહિત અમદાવાદ સહિતના આવા બ્રીજ પર નિયંત્રણો લાદી દીધા છે જેના ભાગ રૂપે અમદાવાદમાં પણ તાજેતરમાં નિર્માણ પામેલા અટલ ફુટ બ્રીજ પર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ દ્વારા એક સાથે અનેક લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

જેના પગલે હવે મર્યાદીત સંખ્યામાં પ્રવાસીઓ અટલબ્રિજ પર જઈ શકશે એટલે કે દર કલાકે 3 હજાર લોકો જ આ બ્રિજ પર જઈ શકશે. સોમવાર સાંજથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડવાની અને તેમાં 134થી વધુ લોકોની મૃત્યુ પામવાની ઘટના છતાં રવિવારે સાંજે અટલબ્રિજ પર હજારો લોકો ઉમટી પડયા હતા

અને ફુટ ઓવર બ્રીજ પર વચ્ચેના ભાગે લગાવવામાં આવેલ કાચ પર ભય વિના લોકો ફોટા પડાવી રહ્યા હતા. કાચની રેલીંગ પાસે પણ સેલ્ફી લઈ રહ્યા હતા. મોરબી જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ દ્વારા આ ફુટ ઓવર બ્રીજ પર એક સાથે વધુ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે.






Latest News