સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર ગામે સીમમાંથી સગીરાનું અપહરણ


SHARE





ટંકારાના વાછકપર ગામે સીમમાંથી સગીરાનું અપહરણ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા વાછકપર ગામની સીમમાં ખેત મજૂરીનું કામ કરવા આવેલા મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીરવયની દીકરીનું લલચાવી ફોસલાલીને બદકામના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હોય પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ટંકારા તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો મજુર પરિવાર ટંકારા તાલુકાના વાછકપર ગામની સીમમાં ખેત મજૂરી કરવા માટે આવ્યો હોય અને અહીં બાજુમાં આવેલા કોઠારીયા ગામની સીમમાં રહેતો અને મૂળ દાહોદ પંથકનો રાજુ વીરસિંગ મુંદવાડા નામનો ઇસમ એમપીના મજુર પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોય હાલ ભોગ બનેલ પરિવાર દ્વારા ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાજુ વીરસિંગ મુંદવાડા નામના શખ્સની સામે અપહરણ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેની તપાસ સીપીઆઈ બી.પી.સોનારા ચલાવી રહ્યા છે.

આરોપી પકડાયો

અમદાવાદ જીલ્લાના વિરમગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારી અને ધમકીના ગુનાનો આરોપી અમિત જયંતિ ઠાકોર રહે.બાવળા તાલુકો વિરમગામ હાલ રહે.મોરબી ખત્રીવાડ વાળો મોરબી હોવાની બાતમી મળી હતી જેથી કરીને વિરમગામ પોલીસ દ્વારા મોરબી આવીને મોરબીના ખત્રીવાડ વિસ્તારમાંથી અમિત જયંતિ ઠાકોર નામના ઇસમની મારામારી અને ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતો લલિત અરજણભાઈ ચૌહાણ નામનો ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈને રાજપર રોડ ઉપરથી જતો હતો ત્યારે સતનામ જીનની પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થઈ હતી જેથી રાજકોટ ખસેડાયો હતો અને બાદમાં તેને હાલ રાજકોટ ખાતેથી અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે.




Latest News