મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના નર્મદા બાલઘર દ્વારા વાંકાનેરની ૪૦ શાળાઓને થ્રીડી પ્રિન્ટર અને વીઆર ગ્લાસનું વિતરણ-તાલીમ અપાઇ


SHARE







મોરબીના નર્મદા બાલઘર દ્વારા વાંકાનેરની ૪૦ શાળાઓને થ્રીડી પ્રિન્ટર અને વીઆર ગ્લાસનું વિતરણ-તાલીમ અપાઇ

મોરબીના નર્મદા બાલઘર દ્વારા ગાયત્રી મંદિર-વાંકાનેર ખાતે ૪૦ શાળાઓને થ્રીડી પ્રિન્ટર તથા વીઆર ગ્લાસ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.વિનામૂલ્યે આપવાનો મુખ્ય હેતુ શિક્ષણ અને શિક્ષકોને સશક્ત બનાવવાનો છે. ફ્રી માં વિતરણ તથા તાલીમનો મુખ્ય હેતુ એ હતો કે શિક્ષકો થ્રીડી પ્રિન્ટરને ઍસેમ્બલ કરતાં શીખે, સીએડીની ડિઝાઇન બનાવતા શીખે તેનો ઉપયોગ કરતાં શીખે અને હજારો બાળકોને  ટેકલોનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરાવે અને પોતાની રીતે પગભર બનવા માટે મદદરૂપ થાય.ટૂંક સમયમાં મોરબી જિલ્લાના તમામ બાળકો માટે સીએડીની સ્પર્ધા કરવામાં આવશે અને સાથે આવનારી ટેકનોલોજીનું રોજિંદા જીવનમાં ઉપયોગ ઉપર મોરબી જિલ્લાના શિક્ષકો વચ્ચે પણ સ્પર્ધા કરવામાં આવશે જેમાં આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે.આ કાર્યક્રમના મુખ્ય અતિથિપદે ડૉ.ભાનુબેન મહેતા અને તેમના પુત્ર દેવેશ મહેતા, નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ટ્રસ્ટી ભરતભાઈ મહેતા, મારવાડી યુનિવર્સિટીના ડીન ડૉ.આર.બી.જાડેજા, ડૉ.બળવંત જાની, ડૉ.અનામીક શાહ, રાજકોટ સાયન્સ સેન્ટરના રમેશભાઈ ભાયાણી, રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પ્રમુખ ડૉ.ડી.વી.મહેતા, સ્પીપા લેક્ચરર વિવેક જોશી, બાલઘરના ટ્રસ્ટી જયેશ ઓઝા અને વાંકાનેરની ૪૦ શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News