ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજતી કથાની ભવ્ય પોથીયાત્રા-શોભાયાત્રા નીકળશે 


SHARE











મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજતી કથાની ભવ્ય પોથીયાત્રા-શોભાયાત્રા નીકળશે 

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા, ૧૨ થી ૧૮ સુધી આ કથા યોજવાની છે જેની તા ૧૧ ને રવિવારે બપોરે ભવ્ય પોથીયાત્રા નીકળશે.

આ પોથીયાત્રા અને શોભાયાત્રા મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ ઉમિયા માતાજી મંદિરથી પ્રસ્થાન થઈ સર્કિટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વીસી ફાટક, શક્તિ ચોક, નગર દરવાજા ચોક, શાક માર્કેટ ચોક, વસંત પ્લોટ પાંચ રસ્તા, રામચોક, જયદીપ કંપની ચોક, સુપર માર્કેટ ચોક, સરદાર પટેલ પ્રતિમા, બાપાસીતારામ ચોક-રવાપર રોડ, સ્વાગત હોલ-રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ, શક્તિ માતાજી મંદિર-સનાળાથી થઈ પટેલ સમાજ વાડી ખાતે સંપન્ન થશે. આ પોથીયાત્રાનું વિવિધ સ્થળે વિવિધ સમાજના આગેવાનો, વર્તમાન-પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આયોજિત આ કથાનો વધુને વધુ લાભ લેવા માટે કાંતિભાઈએ મોરબી જિલ્લાના લોકોને આહ્વાન કર્યું છે 






Latest News