વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગટર, લાઈટ, સફાઈના પ્રશ્નો ન ઉકેલાઈ તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર


SHARE











મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગટર, લાઈટ, સફાઈના પ્રશ્નો ન ઉકેલાઈ તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર

મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનામાં વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે અને અનેક રજુઆત કરવા છતાં આજની તારીખે ગટર, લાઈટ, સફાઈ સહિતની સુવિધાઑ મળતી નથી જેથી પાલિકામાં વધુ એક વખત રજુઆત કરીને મુખ્યમંત્રી આવાસમાં પ્રાથમિક સુવિધા આપવાની માંગ કરીને જો સુવિધાઓ નહીં મળે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબીના લીલાપર રોડ ઉપર વર્ષો પહેલા મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે અને તેમાં લોકો રહેવા માટે આવી ગયા છે તો પણ લોકોને સુવિધા આપવામાં આવી નથી જેથી કરીને હિન્દૂ મુસ્લિમ એકતા સમિતિના નેજા હેઠળ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, પાલિકા દ્વારા જરૂરી પ્રાથમિક સુવિધાઓ જેમાં લાઈટ, પાણી, ગટર, સફાઈ આપવામાં આવતી નથી અને ભૂગર્ભ ગટરનો પ્રશ્ન વણઉકેલ છે અને કોમ્યુનિટી હોલ પાલિકાના ગોદામની જેમ વાપરવામાં આવી રહ્યો છે જેથી કરીને લોકોને પ્રસંગ માટે તે હૉલ મળતો નથી જેથી કરીને આ પ્રશ્નોને ઉકેવાની માંગ કરવામાં આવી છે અને જો પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી ચૂંટણીમાં મતદાનનો સ્થાનિક લોકો દ્વારા બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News