મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

ઇકો ફ્રેન્ડલી કંકોત્રી: મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાંદલ પ્રસંગે કર્યું ઘરે ઘરે તુલસી ક્યારાનું આયોજન


SHARE







ઇકો ફ્રેન્ડલી કંકોત્રીમોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાંદલ પ્રસંગે કર્યું ઘરે ઘરે તુલસી ક્યારાનું આયોજન

એક બાજુ કોંકરેટના જંગલ વધી રહ્યા છે ત્યારે પર્યાવરણનું જતન કરવામાં આવે તે પણ જરૂરી છે જેથી કરીને ઘણા લોકો વૃક્ષા રોપણને પ્રોત્સાહન મળે તેવું આયોજન કરતાં હોય છે આવી જ રીતે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને તેના પતિ દ્વારા તેઓના ઘરે આગામી દિવસોમાં રાંદલ પ્રસંગ માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટેની લોકોને કંકોત્રી આપવામાં આવી છે તે કંકોત્રી ઇકો ફ્રેંડલી બનાવવામાં આવી છે

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખના જાનકીબેન તેમજ મોરબી ભાજપના યુવા અગ્રણી અને જય અંબે સેવા ગ્રુપ થકી મોરબીમાં જાણીતા તેઓના પતિ જીજ્ઞેશભાઈ હંસરાજભાઈ કૈલા દ્વારા આંગણે આવેલા પ્રસંગમાંથી લોકોને પણ પ્રેરણા મળે તે રીતે આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જીજ્ઞેશભાઈ હંસરાજભાઈ કૈલા તેમજ તેના પત્ની જાનકીબેન દ્વારા આ વાત તેના પિતા હંસરાજભાઈ જેરામભાઈ કૈલાને કહેવામા આવી હતી જેને તેઓએ પણ સ્વીવકારી હતી જેથી કરીને કૈલા પરિવારના આંગણે આગામી તા ૨૮ ના રોજ રાંદલ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે તેના માટેની કંકોત્રી તૈયાર કરવામાં આવી છે અને આ કંકોત્રી હાલમાં લોકોને આપવામાં આવી રહી છે જે ઇકો ફ્રેંડલી કંકોત્રી છે

આગામી રવિવારને તા ૨૮ ના રોજ રામેશ્વર પાર્ટી પ્લોટ ન્યુ એરા સ્કૂલની બાજુમાં રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે કૈલા પરિવાર દ્વારા રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન અને જીજ્ઞેશભાઈ કૈલાની દીકરી રાગી તેમજ રીટાબેન અને અમિતભાઈ કૈલાના દીકરા જૈનમના રાંદલ માતાજીની પધરામણીના શુભ પ્રસંગે દર્શન અને પ્રસાદનું આયોજન આમંત્રિત મહેમાનો માટે કરવામાં આવ્યું છે જેના માટેની કંકોત્રીના કવરને ત્રણ થી  ચાર દિવસ પાણીમાં રાખવામા આવ્યા બાદ તે અંકુરિત થયેલ પત્રિકાને ખાડો કરીને માટીમાં રાખવામા આવશે તો તેમાંથી તુલસીનો છોડ ઊગી નીકળશે આમ કંકોત્રીની સાથે પર્યાવરણનું પણ જતન થાય અને ઘરે ઘરે તુલસીના કયારા બને તેવું આયોજન કૈલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે






Latest News