મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદના ડુંગરપુર ગામે વાડીએથી ૯૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE







હળવદના ડુંગરપુર ગામે વાડીએથી ૯૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

હળવદના ડુંગરપુર ગામે વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ૯૪ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો જેથી પોલીસે ૨૬૨૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને બે શખ્સના નામ સામે આવતા તેની સામે પણ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ડુંગરપુર ગામે વાડીએ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ડુંગરપુર સીમમાં દારૂને રેડ કરી હતી ત્યારે જુદીજુદી બ્રાન્ડની દારૂની ૯૪ બોટલ મળી આવી હતી જેથી પોલીસે આરોપી સિધ્ધરાજ ધીરુભાઈને પકડીને ૨૬૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને પોલીસની તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, આરોપી સિધ્ધરાજભાઈ ધીરુભાઈ ચૌહાણ રહે. માથક, પીન્ટુભાઇ અશોકભાઈ બોરણીયા રહે. માથક અને ધીરુભાઈ નાગજીભાઈ ચૌહાણ રહે. માથક વાળા ઉધડમાં જમીન રાખી ખેતી કરતા અને તે વાડીએ દારૂનો જથ્થો ઉતાર્યો હતો જેથી પોલીસે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને બે શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા સારવારમાં

હળવદના અજીતગઢ ગામે દીપુભાઇની વાડીએ રહીને ખેત મજૂરી કરતા પરીવારના ચંપાબેન રમેશભાઈ ઠાકોર નામની ૨૫ વર્ષીય મહિલાએ વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે બનેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ગાંધીધામ જી.કચ્છ(ભુજ) ના વતની દિલીપભાઈ ગીરધરલાલ ચૌધરી નામના ૩૦ વર્ષીય યુવાનને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમા ઇજા

મોરબીના નવલખી ફાટક પાસે આવેલ રણછોડનગર વિસ્તારમાં સાંઈબાબાના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતાં મધુબેન રવીનભાઈ ડાભી નામના ૪૮ વર્ષીય મહિલાને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના મકનસર ગામ પાસે આવેલ કમાન્ડર વિટ્રીફાઈડમાં ઝેરી જનાવર કરડી જતા વિજયભાઈ ભૂરીયા નામના ૨૩ વર્ષીય યુવાનને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News