મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડ ઉપર અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારની ધરપકડ


SHARE







મોરબીના વેજીટેબલ રોડ ઉપર અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારની ધરપકડ

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલી યુનિક સ્કૂલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઇક લઈને ધરમપુર તરફ જતાં યુવાનના બાઇકને બીજા બાઇક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને તે યુવાનને પેટ અને લીવરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવારમાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતાએ અકસ્માત સર્જનારા બાઇક ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના ધરમપુર ગામે રહેતો મનહરસિંહ રવિન્દ્રસિંહ તોમર (૨૧) નામનો યુવાન થોડા દિવસો પહેલા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં નાસ્તો લઈને ઘરે જતો હતો તે દરમિયાન રસ્તામાં ધરમપુર-વેજીટેબલ રોડ ઉપર સ્મશાન સામે આવેલ યુનીક સ્કુલની પાસે બાઇક નંબર જીજે ૩ એએફ ૧૫૩૧ ના ચાલકે મનહરસિંહના બાઇક નંબર જીજે ૩૬ એચ ૪૩૪૧ ને હડફેટે લીધું હતું જેથી કરીને મનહરસિંહને પેટ અને લીવરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી પોલીસે મૃતકના પિતા રવિન્દ્રસિંહ ચંદ્રસિંહ તોમરની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં અકસ્માત સર્જનારા બાઇક ચાલક મયૂરસિંહ અનોપસિંહ ઝાલા (૨૮) રહે. ભગ્યલક્ષ્મી સોસાયટી, મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે

આરોપી પકડાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામના શાંતિનગર વિસ્તારમાં રહેતા ચંદુભાઈ જગજીવનભાઈ સંઘાણી જાતે પટેલ (૫૫) પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે તા.૫-૬ ને રવિવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં મહેન્દ્રનગર ચોકડી પાસે તેમના બાઇકને ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૮૧૨૩ ના ચાલકે હડફેટે લેતા ચંદુભાઈ સંઘાણીને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરા જયદીપભાઈ ચંદુભાઈ સંઘાણી જાતે-પટેલ (૨૫) મોરબી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી ગોપાલભાઈ ભીખાભાઇ ચૌહાણ (૩૨) રહે. શક્તિ સોસાયટી થાન વાળાની ધરપકડ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીની મેમણ કોલોનીમાં રહેતા ગફારભાઈ જુસાભાઇ પાસવાની નામના ૫૦ વર્ષિય આધેડને શાક માર્કેટ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મિંયાણાના વવાણીયા ગામે રહેતા અલ્લારખાભાઈ એમદભાઈ ટાંક નામના ૪૨ વર્ષીય યુવાનને ઘરે આવીને ધોકા વળે મૂઢ માર મારવામાં આવ્યો હોય તેને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રહેવાસી ધ્રુવ લાલજીભાઈ કારોલીયા નામના ૨૦ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.






Latest News