મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અષાઢી બીજે નીકળતી મચ્છુ માતાજીની રથયાત્રા આ વર્ષે પણ મોકૂફ


SHARE







મોરબીમાં અષાઢી બીજે નીકળતી મચ્છુ માતાજીની રથયાત્રા આ વર્ષે પણ મોકૂફ

હાલમાં કોરોનાને લઈને લોકોના મેળાવડા થાય તેવા કાર્યક્રમનો બંધ રાખવામાં આવી રહ્યા છે ત્યારે દરવર્ષે અષાઢી બીજના દિવસે મોરબીમાં રબારી- ભરવાડ સમાજના લોકો દ્વારા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે તે રથયાત્રા ગતવર્ષે બંધ રાખવામા આવી હતી તેવી જ રીતે ચાલુ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવેલ છે હાલમાં સરકારી ગાઇડ લાઇન મુજબ વધુ લોકો ભેગા થાય તેવા કાર્યકમ યોજવાના નથી જેથી મોરબી મચ્છુ માતાજીની અષાઢી બીજની રથયાત્રા મોકુફ રાખવામાં આવે છે માટે ગુજરાતભરમાંથી આવતા લોકોને મહંત ગાડુભગત બીજલભગત, મચ્છુ મિત્ર મંડળ અને મચ્છુ માતાજીની જગ્યાના સંચાલકો વતી સરકારી ગાઇડ લાઇનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે

અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં મચ્છુ માતાજીની અષાઢી બીજની રથયાત્રા કાઢવામાં આવે છે તે સિવાય બીજી કોઈ રથયાત્રા કાઢવામાં આવતી નથી જો કે, અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા શોભાયાત્રા કાઢવા તેમજ આ પર્વની ઉજવણી કરવા અંગે મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા સમગ્ર મોરબી જિલ્લા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા અનુસાર સ્થાનિક વહીવટી તંત્રએ સબંધિત મંદિર/ટ્રસ્ટ/આયોજકો સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે. અને રથયાત્રા નક્કી કરેલ માર્ગ ઉપર મહત્તમ ૫ (પાંચ) વાહન સાથે નિકળશે અને અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરે રથયાત્રામાં ભાગ લઇ શકશે નહીં અને રથયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો/સંચાલકો અને પુજાવિધિમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮ કલાક પહેલા કરાવેલ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે. અને કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે. જો કે, મોરબીમાં અષાઢી બીજના દિવસે કોઈ રથયાત્રા નીકળશે નહીં






Latest News