તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે રામદેવપીર મંદિરે આજથી ત્રિદિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠા શરૂ


SHARE











મોરબીના નાની વાવડી ગામે રામદેવપીર મંદિરે આજથી ત્રિદિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠા શરૂ

મોરબીના નાની વાવડી ગામે શ્રી નકલંક ધામ રામદેવપીર મંદિર ખાતે ત્રણ દિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે અને રામદેવજી મહારાજ, કૃષ્ણ ભગવાન, ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ અને ભક્ત હરજીભાટી તથા ડાલીબાઈ તેમજ ઘોડો અને ઈંડું, ધજા, સ્થંભ અને ટોકરાનો જીર્ણોધ્ધાર કરવામાં આવશે આ કાર્યક્ર્મ આજે તા ૯ થી શરૂ થયો છે અને તા ૧૧ સુધી ચાલશે

આજથી શરૂ થતાં યજ્ઞમાં આચાર્ય પદે નવા કટારીયાના મહંત ભાનુપ્રસાદ બાપુ હાજર રહેશે અને તેઓ યજ્ઞ સહિતની ધાર્મિક વિધિ કરાવશે આજે તા. ૯ ને સોમવારે સવારે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ, શ્રવણ, જલયાત્રા, તા. ૧૦ ને મંગળવારે આવાહિત દેવતાનું પૂજન, કુટીર કર્મ, શ્રી રામદેવજી મહારાજની રાજોપચાર પૂજા અને રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાખેલ છે અને તા. ૧૧ ને બુધવારે મંદિરનું પ્રસાદ, વાસ્તુ પૂજન, શિખર કળશ અભિષેક, પ્રતિષ્ઠા હોમ અને શ્રીફળ હોમ આરતી અને સાંજે ૬ કલાકે મહાપ્રસાદ રાખવામા આવેલ છે તેવું શ્રી નકલંક ધામ રામદેવપીર મંદિર તરફથી જણાવવામાં આવ્યું છે






Latest News