મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ-મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો


SHARE







વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ-મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના નવનિયુક્ત પ્રમુખ જયુભા ડી. જાડેજાનો સત્કાર સમારોહ રાખવામા આવ્યો હતો થોડા સમય પહેલા ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયુભા જાડેજાની વરણી કરવામાં આવી છે તેની સાથોસાથ મહામંત્રી તરીકે એ. બી. મકવાણાની વરણી કરવામાં આવેલ હોય બંને આગેવાનોનો સત્કાર સમારોહ વાંકાનેરમાં આવેલ એસ.ટી.ના વર્કશોપ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં એસ.ટી.વિભાગના મહામંડળના આગેવાનો, હોદ્દેદારો તેમજ એસ.ટી વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ તકે તેઓએ આગામી સમયમાં એસટી વિભાગના કર્મચારીઓના જે કોઈ પ્રશ્નો હોય તેને ઉકેલવા માટેની ખાતરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જયુભા જાડેજાએ એસટી કર્મચારી મંડળ રાજકોટ વિભાગમાં સતત 14 વર્ષ અને એસટી ક્રેડિટ સોસાયટી રાજકોટમાં સતત 19 વર્ષ બિન હરીફ પ્રમુખ તરીકે સેવા આપેલ છે ત્યારે હવે આગામી સમયમાં જ્યારે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે તેમણે જવાબદારી સંભાળી છે જેથી કરીને એસ.ટી વિભાગના કર્મચારીઓને લગતા પ્રશ્નોને વહેલામાં વહેલી તકે ઉકેલ આવશે તેવી કર્મચારીઓને પણ આશા બંધાણી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર એસટી ડેપોના તમામ મંડળના હોદેદારો અને કર્મચારી સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News