સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે પરિવારજનની સ્મૃતિમાં રોપનું વિતરણ કરીને આપી “સાચી શ્રદ્ધાંજલિ”


SHARE











મોરબીના ચકમપર ગામે પરિવારજનની સ્મૃતિમાં રોપનું વિતરણ કરીને આપી “સાચી શ્રદ્ધાંજલિ”

 "મારું ગામહરિયાળું ગામ" ઝુંબેશ અંતર્ગત સ્વ.ચંદુલાલ પ્રભુભાઇ કાલરિયાની સ્મૃતિમાં મોરબી તાલુકાના ચકમપર ગામે પટેલ સમાજ વાડીએથી ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને ચકમપરમાં વૃક્ષો ઉછેરવાની જવાબદારી લેતા હોય તેવા પર્યાવરણ પ્રેમીઓ નિશુલ્ક બે થી ત્રણ રોપા વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવ્યા હતા સાથે સાથે વનસ્પતિ બીજબેંક મોરબી તરફથી નિશુલ્ક બીજ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને જે રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ કર્યું છે અને વાડી વિસ્તાર તેમજ નર્મદા કેનાલને કારણે પાણીની છતવાળા આ ગામમાં ખેડૂતો ખારેક, લીંબુ જેવા ફળાઉ વૃક્ષોની ખેતી તરફ વળેલ છે. આવા જાગૃત ગામમાં મુક્તિધામ, રામદેવપીર મંદિર, ખેતરપાળ, તળાવ, નિશાળ જેવા અલગ અલગ જાહેર સ્થળોએ હજારોની સંખ્યામાં વૃક્ષોનો ઉછેરે થયો છે. ગામમાં ઔષધબાગ પણ છે. ત્યારે આગામી દિવસોમાં પોતાના સ્વજનોની સ્મૃતિમાં અન્ય ગામોમાં આવું રચનાત્મક આયોજન કરવું હોય તો વધુ માર્ગદર્શન અને આયોજન માટે પ્રાણજીવન કાલરિયાને મો. ૯૪૨૬૨ ૩૨૪૦૦ નો સંપર્ક કરવાં માટે જણાવ્યુ છે






Latest News