મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે વૃદ્ધની હત્યાના ગુનામાં બીજા આરોપીની પણ ધરપકડ: બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીના ઘુંટુ ગામે વૃદ્ધની હત્યાના ગુનામાં બીજા આરોપીની પણ ધરપકડ: બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી નજીકના ઘૂટું  ગામે રહેતા પટેલ વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે પહેલા એક આરોપીની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ લાશને સગેવગે કરવામાં આરોપીની મદદ કરનારા બીજા આરોપીની પણ પોલીસે ધરપકડ કરેલ છે અને બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા (ઉંમર ૬૮) ગત રવિવાર સાંજના સમયે પોતાની ઘરેથી વાડી તરફ ગયા હતા અને વાડીએ ગયા બાદ તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેમને શોધવા માટે થઈને પરિવારજનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને વાડીએ ગાયો બાંધતા ગામના જ જેઠાભાઇ કોળીને તેના સાળા મુન્નાભાઈ સોમાભાઈ મેર જાતે કોળીએ કહ્યું હતું કેચાર અજાણ્યા હિન્દીભાષી શખ્સો આવ્યા હતા અને ત્યારબાદથી વૃદ્ધ ગુમ થયા છે જેથી કરીને પરિવારજનોએ તેના આધારે શોધખોળ શરૂ કરી હતી પરંતુ ગઈકાલ રાતથી સોમવારે બપોર સુધીમાં તેનો કોઇ જગ્યાએથી પત્તો લાગ્યો ન હતો અને આ વૃદ્ધને શોધવા માટેની કવાયત ચાલુ કરવામાં આવી હતી. દરમિયાનમાં તેઓની વાડી પાસેથી જ દીવાલની પાછળના ભાગમાંથી ધરમશીભાઇ પરેચાની ગળુ દબાવીને હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જે બનાવમાં મૃતક વૃદ્ધના દીકરા અશોકભાઇ પરેચાની ફરિયાદ લેવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં મુખ્ય આરોપી મુન્નાભાઈ સોમાભાઈ મેર જાતે કોળી મૂળ રહે.વાંકાનેર તાલુકાનાં તારીકીય અને હાલ રહે. ઘુંટુ વાળાની ધરપકડ કરેલ હતી અને ત્યાર બાદ હત્યારાને મદદ કરનારા વિક્રમ ઉર્ફે વિકી શંભુ ઠાકોર નામના બીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે

ઘુંટુ ગામે ધરમશીભાઈ પરેચા ગુમ થયા પછી આરોપી મુન્ના મેર દ્વારા જે સ્ટોરી કરવામાં આવી હતી તે પહેલાથી જ પોલીસને શંકસ્પદ લાગતા પ્રથમથી જ મુન્ના મેર પોલીસના શંકાના દાયરામાં હતો અને પોલીસે ગુનો નોંધીને તેની આગવી ઢબે પુછપરછ કરી હતી જેથી તે પોપટ થઇ ગયો હતો અને વૃધ્ધની હત્યા તેણે અન્ય જગ્યાએ કરીને તેની લાશને ઢશેળીને મુન્ના મેર તેમજ તેના મિત્ર વિક્રમ શંભુભાઇ ઠાકોરે જે જગ્યાએથી લાશ મળી આવેલ ત્યાં સુધી પહોંચાડી હતી અને ડીવાયએસપી મુનાફખાન પઠાણના કહેવા મુજબ આરોપી મુન્ના મેરના કૌટુંબિક ફૈબાના ઘરે આવવા જવાના ધરમશીભાઇ પરેચાને સબંધ હતા જેથી તે વાતને લઇને હત્યારા યુવાનની તેના મિત્રો અવારનવાર મશ્કરી કરતા હતા.તે વાતનો મનોમન ખાર રાખીને મુન્ના મેરે વૃધ્ધની હત્યા કરી નાખી હતી તેવી કબુલાત તેણે પોલીસ સમક્ષ આપેલ હતી જેથી આ ગુનામાં પકડાયેલા બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News