ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત


SHARE





મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત

મોરબીમાં આવેલ આલાપાર્ક વિસ્તારમાં રહેતા આધેડને ભંગારના કારખાનામાં ભાગ રાખવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસેથી 1.13 કરોડ રૂપિયા મેળવવામાં આવ્યા હતા જોકે, આધેડને કારખાનામાં ભાગીદાર તરીકે લેવામાં આવ્યા ન હતા અને તેના પૈસા પણ તેને પાછા આપવામાં આવ્યા ન હતા આટલું નહીં પરંતુ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી હાલમાં આધેડે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ બીલીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ આલાપાર્ક શેરી નંબર 11માં રહેતા સંજયભાઈ અંબારામભાઈ સાણંદિયા (50)એ ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણીયા રહે. આલાપાર્ક શેરી નંબર 3 મોરબી વાળા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ ભંગારના કારખાનામાં ભાગ રાખવાની ફરિયાદીને લાલચ આપી હતી અને ત્યારબાદ અલગ અલગ સમયે તેની પાસેથી કુલ મળીને 1.13 કરોડ રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને ફરિયાદીને ધંધામાં ભાગીદાર તરીકે રાખવામાં આવેલ નથી અને તેના 1.13 કરોડ રૂપિયા પરત પણ આપવામાં આવ્યા નથી આટલું નહીં પરંતુ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ફરિયાદીવિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News