હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત


SHARE







મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત

મોરબીમાં આવેલ આલાપાર્ક વિસ્તારમાં રહેતા આધેડને ભંગારના કારખાનામાં ભાગ રાખવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસેથી 1.13 કરોડ રૂપિયા મેળવવામાં આવ્યા હતા જોકે, આધેડને કારખાનામાં ભાગીદાર તરીકે લેવામાં આવ્યા ન હતા અને તેના પૈસા પણ તેને પાછા આપવામાં આવ્યા ન હતા આટલું નહીં પરંતુ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી હાલમાં આધેડે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મૂળ બીલીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ આલાપાર્ક શેરી નંબર 11માં રહેતા સંજયભાઈ અંબારામભાઈ સાણંદિયા (50)એ ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણીયા રહે. આલાપાર્ક શેરી નંબર 3 મોરબી વાળા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ ભંગારના કારખાનામાં ભાગ રાખવાની ફરિયાદીને લાલચ આપી હતી અને ત્યારબાદ અલગ અલગ સમયે તેની પાસેથી કુલ મળીને 1.13 કરોડ રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને ફરિયાદીને ધંધામાં ભાગીદાર તરીકે રાખવામાં આવેલ નથી અને તેના 1.13 કરોડ રૂપિયા પરત પણ આપવામાં આવ્યા નથી આટલું નહીં પરંતુ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ફરિયાદીવિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News