મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌ સંગઠનો દ્વારા મહા પાલિકાનો ખુલ્લો વિરોધ


SHARE







મોરબીના વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌ સંગઠનો દ્વારા મહા પાલિકાનો ખુલ્લો વિરોધ

મોરબી બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, મહાકાલ ગ્રુપ, ગૌરક્ષક કમાન્ડો તેમજ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ-દિલ્હી, ગુજરાત ગૌરક્ષક દળ, ગૌવંશ સુરક્ષા સંગઠન, નિરાધાર ગૌરક્ષણ સંવર્ધન ટ્રસ્ટ-મોરબી સહીતના વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌ સંગઠનો દ્વારા મોરબી મહાનગરપાલિકાનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો છે.

કારણ કે મોરબી શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કતલખાનાઓ અને જીવ હત્યાના કારસ્તાનો સામે સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે.મેયર અને કમિશનરને પણ વારંવાર અરજી અને પુરાવા આપવામાં આવ્યા હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વિવિધ સંગઢનોએ સ્પષ્ટ માંગ કરેલ છેકે મોરબી સીટી વિસ્તારમાં જે પણ ગેરકાયદેસર ચાલતા કતલખાના અને ગેર કાયદેસર ચાલતી દુકાનો બંધ કરાવવી જોઇએ.જ્યાં ધાર્મિક મંદિર આવેલા હોય, જ્યાં સ્ટુડન્ટ નીકળતા હોય છે ત્યાં મોટા પ્રમાણમાં કતલખાનામાં જીવ હત્યા ચાલુ હોય તેની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને રહેણાંક વિસ્તારોમાંથી આવા કારસ્તાનો બંધ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે અને તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવા માંગ કરાયેલ છે.મોરબીની જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકીને તમામ કોર્પોરેટરોને ચૂંટીને સત્તા સોંપી છે.તો પછી આ ગંભીર પ્રશ્ને તેઓ મૌન કેમ છે ? જનતાની રજૂઆતો છતાં કાર્યવાહી કેમ થતી નથી ? જો તાત્કાલિક યોગ્ય અને નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનહિતમાં લોકશાહી અને કાયદેસર રીતે વિશાળ જનઆંદોલન અને વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે.તેવી ચીમકી મોરબી જિલ્લાની વિવિધ હિન્દુ સંગઠનો દ્રારા ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News