ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં ઇલેક્ટ્રીક ગ્રાઈન્ડરની મદદથી લોખંડ કાપતા સમયે કોઈ કારણોસર યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો ત્યારબાદ યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતનપર ગામની સીમમાં આવેલ અમોરા ટાઇલ્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો અમિતસિંહ શિવકુમાર પરિહાર (23) નામનો યુવાન ગઈકાલે સાંજના ચારેક વાગ્યાના અરસામાં કારખાનામાં ઈલેક્ટ્રીક ગ્રાઇન્ડર વડે લોખંડ કાપતો હતો દરમિયાન તેને કોઈ કારણોસર ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગવાના કારણે સ્થળ ઉપર જ તે યુવાનનું મોત નીપજ્યું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાંથી બાઈકની ચોરી

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ સન પેલેસ સનરાઈઝ પાર્ક ખાતે રહેતા ગૌતમભાઈ વેલજીભાઈ ગોધાણી (35) એ અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના પંચાસર રોડ થી નાની કેનાલ રોડ ઉપર આવેલ સનરાઈઝ પાર્કના ગેટ નં. 2 ના પાર્કિંગ પાસે તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 10 ડી બી 9969 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની ચોરી કરવામાં આવેલ હોય 65,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થયાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News