સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા


SHARE





મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા

મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવેની હાલમાં બદતર હાલત છે અને ઠેરઠેર ખાડા પડી ગયા છે જેથી કરીને નાના મોટા અને જીવલેણ અકસ્માત પણ સર્જાય છે તો પણ અધિકારીઓએ કે પદાધિકારીઓના પેટનું પાણી હલતું નથી ત્યારે આ ભંગાર રોડના લીધે કોઈ નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થશે તો તંત્ર અને સરકાર સામે માનવ વધનો ગુન્હો દાખલ કરીશું તેવી ચીમકી કોંગ્રેસનાં આગેવાન અને ગુજરાતનાં ખેડૂત આગેવાન મહેશ રાજકોટીયાએ ઉચ્ચારી છે.

મોરબી અને રાજકોટને જોડતો સ્ટેટ હાઇવેનો રોડ વર્ષ 2016 માં ફોરલેન બનવા માટેની સરકારે જાહેરાત કરી હતી અને ત્યાર પછી તેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જો કે, 10 વર્ષ પછી પણ હજુ 100 ટકા આ રોડનું કામ પૂર્ણ થયું નથી ત્યાં રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા છે. ખાસ કરીને લજાઈથી વીરપર વચ્ચેનો 3 કિમીનો રોડ મોતના ખાડો સમાન બની ગયો છે. અને રોજ અહીં બાઈક સ્લીપ થાય છે, ગાડીઓના ટાયર ફૂટે છે અને નાના-મોટા અકસ્માતો થાય છે. એક તરફ સરકાર "વિકાસની ગાથા" ના દાવા કરે છે, બીજી તરફ બે મોટા ઔદ્યોગિક શહેરોને જોડતો મુખ્ય રસ્તો ખાડામાં ધકેલાઈ ગયો છે. આ રોડ ઉપરથી રોજ હજારો વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ અને ખેડૂતો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવા મજબૂર છે.

ત્યારે કોંગ્રેસ અગ્રણી અને ગુજરાતનાં ખેડૂત નેતા મહેશ રાજકોટિયાઆક્રોશ સાથે સરકારને કાયદાકીય કાર્યવાહી કરવા માટેની ચેતવણી આપેલ છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, આ રોડ ઉપર લોકોના જીવ સાથે ખેલ થઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે જો આ રોડના ખાડાના લીધે કોઈ અકસ્માત થયો અને નિર્દોષ વ્યક્તિનો તેમાં જીવ જશે તો તંત્રના જવાબદાર અધિકારી અને સરકાર સામે માનવ વધ/ Culpable Homicide નો ગુન્હો દાખલ કરાવીશું તેવી ચીમકી ઉચ્ચારી છે. અને તેઓએ સરકાર સમક્ષ મોરબી-રાજકોટ હાઇવેનું 7 દિવસની અંદર રી-સર્ફેસિંગ શરૂ કરવામાં આવે, લજાઈ-વીરપર સહિત જોખમી જગ્યાએ તાત્કાલિક પેચવર્ક કરવામાં આવે અને બેદરકાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણીઓ મૂકી છે




Latest News