ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
Breaking news
Morbi Today

બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો


SHARE







બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો

હળવદ તાલુકામાં બ્રાહ્મણી-૨ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહને કારણે મયુરનગર થી રાયસંગપર રોડ પર આવેલા કોઝવેનો એક તરફનો ભાગ ધોવાઈ ગયો છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક નાગરિકોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

આ રોડ ઉપર કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. અને વહીવટી તંત્ર દ્વારા પાણીનું સ્તર ઘટતાની સાથે જ આ માર્ગનું સમારકામ હાથ ધરીને વાહનવ્યવહાર પુનઃ ઝડપથી પૂર્વવત કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકો તથા ગ્રામજનોને સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, ધોવાયેલા કોઝવે પરથી પસાર થવાનું સાહસ ન કરવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાઓને અનુસરીને સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News