ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર


SHARE







વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર

કોરીધાકોડ પડેલી મચ્છુ નદીમાં ધસમસતા પુર : અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા : મચ્છુ ડેમની જળ સપાટી 27.89 ફુટ પહોંચી

 

વાંકાનેર પંથકમાં ગઈકાલે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આક્રમક બેટીંગ કરી હતી. માત્ર ચાર કલાકના ટુંકા સમયગાળામાં 4.5 ઈંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતા સમગ્ર વાંકાનેર પંથક ધમરોળાઈ ગયું હતું. વરસાદના કારણે મુખ્ય માર્ગો, નીચાણવાળા વિસ્તારો અને શેરીઓમાં પાણી ભરાઈ જતા ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.ઉપરવાસમાં નહીવત વરસાદના કારણે વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ-1 ડેમમાં પાણીની સામાન્ય આવક શરૂ થઈ છે, જેમાં ડેમની જળસપાટીમાં અડધા ફૂટનો વધારો થતા વર્તમાન જળસપાટી 27.89 ફુટ નોંધાઈ છે.

 વરસાદનું સૌથી મનોરમ દ્રશ્ય મચ્છુ નદી પર જોવા મળ્યું હતું. જે મચ્છી નદી ગઈકાલ સવાર સુધી સાવ ખાલીખમ અને કોરીધાકોડ પડી હતી તે જ નદીમાં બપોર થતા જ ઉપરવાસમાંથી ધસમસતા નવા નીરનું આગમન થયું હતું. સવારની ખાલી નદી બપોર સુધીમાં ખળખળ કરતી વહેતી થતા સ્થાનિકો અને ખેડૂતોમાં હર્ષ અને આનંદની લહેર છવાઈ ગઈ છે. આ સાથે જ વરસાદની સ્થિતિની વાત કરીએ તો સમગ્ર પંથકમાં જળબંબાકાર વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જેમાં વાંકાનેર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પ્રિમોન્સુન કામગીરીના અભાવે પાણી ભરાતા નાગરીકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. આ સાથે જ હાઈવે જકાતનાકા ખાતે રેલ્વે ઓવરબ્રીજ નીચે પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે






Latest News