મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામે છોકરા માટે નાસ્તો લેવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ


SHARE







વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે મકાનના તાળા તોડીને ત્યાંથી તાંબા પિતળના વાસણોની ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ તેના દિયરની સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 70 હજાર રૂપિયાની કિંમતના તાંબા પિત્તળના વાસણોની ચોરી થઈ હોવાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ઢુવા ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદ ખાતે દિલ્હી વાળી ફ્રુટ માર્કેટ શહેર કોટડા વિસ્તારમાં રહેતા મીનાબેન હદાભાઈ સાગઠીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તેના દિયર દીપકભાઈ બાલાભાઈ સાગઠીયા રહે. ઢુવા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા 25/2/2026 ના સવારે 7:00 વાગ્યાથી લઈને તા 30/3/26 નામ સવારના 11:00 વાગ્યા સુધીના કોઈપણ સમયે ફરિયાદીના દિયર દ્વારા ઢુવા ગામે તેઓના મકાનનું લોક તોડીને ત્યાં ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તાંબા પીતળના વાસણો જેની કુલ કિંમત 70 હજાર રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં મહિલાએ નોંધાયેલ ફરિયાદારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બીમારી સબબ સારવારમાં મહિલાનું મોત

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ગીતાબેન જીતેન્દ્રભાઈ વરાણીયા (42)ને બીમારી સબબ સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને જૂની બીમારીના કારણે બીમારી સબબ તેઓનું મોત નીપજ્યું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News