હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક છકડો રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા


SHARE







વાંકાનેર નજીક છકડો રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા

વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાથી આગળના ભાગમાં છકડો રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે કાર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં રીક્ષા ચાલકને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા વ્યક્તિને માથામાં અને શરીરે ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા આ બાબતે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે હાલમાં કારના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના હસનપર ગામે રહેતા લાલજીભાઈ ઉર્ફે લાલો ઘોઘાભાઈ ટોટા (34)એ કાર નંબર જીજે 36 એઆર 7881 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સિમસ્ટોન સિરામિકથી થોડા આગળના ભાગમાં ફરિયાદી રિક્ષા નંબર જીજે 3 ઝેડ 4186 માં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ને કાર ચાલકે હડફેટ લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલક ભવાનભાઈ કેણાભાઈ પાંચિયા (55) ને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા ફરિયાદીને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં ફરિયાદી પાસેથી મળતી વખતે પ્રમાણે છકડો રીક્ષામાં મોરબીથી પાવડર ભરીને તેઓ સરધારકા રોડ ઉપર માલ ખાલી કરવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચાલક ભવાનભાઈનું મોત નીપજ્યું છે






Latest News