મોરબીમાં ઘરેથી ચપ્પલ સિવડાવવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ મોરબીમાં વિદ્યાર્થીઓના વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને રૂપિયા પડાવવાના ગુનામાં રીઢા ગુનેગારની ધરપકડ મોરબીમાં સ્વચ્છતાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અધિકારી-સફાઈકર્મીઓનું કરાયું સન્માન મોરબીમાં પાંજરાપોળના સત્સંગ હોલમાં દીકરા-દીકરીના જન્મ દિવસની ઉજવણી કરીને રાણસરિયા પરિવારે લીધો ગૌસેવાનો લાભ મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ-હિસ્ટ્રી શીટરોના ઘરોમાં પોલીસની 25 જેટલી ટીમો દ્વારા ચેકિંગ મોરબી જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના હેઠળ સહાય મેળવવા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે મોરબી ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરની કરાર આધારિત જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાની સરકારી કચેરીઓની રદ્દી પસ્તીના ટેન્ડર માટે ફોર્મ મેળવી શકાશે
Breaking news
Morbi Today

સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

સમગ્ર ગુજરાતમાં જે ખાનગી કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરની અંદર ઉભા કરવામાં આવી રહ્યા છે તેના માટે સરકાર દ્વારા વળતરની નવી નીતિ જાહેર કરીને  પરિપત્ર પણ બહાર કરવામાં પાડવામાં આવ્યો છે જોકે, તેનો જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન જેતપર ગામના ખેડૂતો દ્વારા અસ્વીકાર કર્યો હતો અને ત્યારબાદ આંદોલન પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવી હતી અને આજે સત્યાગ્રહ પાર્ટ-3 ના ભાગરૂપે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી તરફ મોરબી સહિત અન્ય જિલ્લાના ખેડૂતો દ્વારા કૂચ કરવામાં આવી હતી અને કલેકટરને જુદી જુદી ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે સરકારના વળતર નીતિ માટેના નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ખેડૂતોની માંગણી મુજબ વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર અને પહેલા વળતરની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું દરમ્યાન પહેલા પ્રતિક ઉપવાસ અને ત્યારબાદ 19 દિવસ સુધી જેતપર ગામે ઉપવાસી છાવણી રાખીને આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું દરમિયાન સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર માટે વળતરની નવી નીતિ જાહેર કરવામાં આવી હતી અને તેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે જોકે તે પરિપત્રનો અભ્યાસ કર્યા બાદ જેતપર ગામના ખેડૂતો દ્વારા આ પરિપત્રને લોલીપોપ સમાન ગણાવીને તેનો અસ્વીકાર કર્યો હતો અને આંદોલન પાર્ટ 3 માટેની જાહેરાત કરવામાં આવી હતી.

આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે ન માત્ર જેતપર ગામ કે મોરબી જિલ્લો પરંતુ આસપાસના જિલ્લાના ખેડૂતો આવી પહોંચ્યા છે અને અહીંથી પદયાત્રા યોજીને મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જુદીજુદી 300 થી વધુ ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જાહેર કરવામાં આવેલ નવી નીતિ અને તેના પરિપત્રનો લેખિતમાં વિરોધ કરવામાં આવ્યો અને ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર જે વીજપોલ ઊભા કરવામાં આવે છે તેની સામે તેઓની માંગણી મુજબ નુકશાની ધ્યાને લઈને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આજે મોરબીમાં યોજાયેલ ખેડૂતોની પદયાત્રામાં મહિલાઓ સહિત અંદાજે 1000 જેટલા લોકો જોડાયા હતા અને જય જવાન જય કિસાનના નારાથી મોરબીના માર્ગ ગોજીયા હતા હાલમાં ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતોને તેઓની માગણી મુજબનું વળતર ચૂકવવામાં આવે ત્યાર પછી તેઓના ખેતરની અંદર વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવે અને જ્યાં સુધી ખેડૂત વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી જ ખેડૂતો દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે અને ખેતરની અંદર વીજ પોલ ઊભા કરવા દેવામાં નહીં આવે તેવી ખુલ્લી ચેતવણી સરકાર અને ખાનગી વીજ કંપનીને આપવામાં આવી હતી.






Latest News