મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના એક લાખ રૂપિયા લઈને યુવાન સાથે લગ્ન કરનાર કન્યા એક અઠવાડીમાં છનનન: 2 મહિલા સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીના એક લાખ રૂપિયા લઈને યુવાન સાથે લગ્ન કરનાર કન્યા એક અઠવાડીમાં છનનન: 2 મહિલા સામે ગુનો નોંધાયો

મોરબીના વાવડી ગામ પાસે આવેલ સાધુ વાસવાણી કુંજ સિંધી સોસાયટીમાં રહેતા યુવાનના અમદાવાદમાં રહેતી મહિલાએ 1,00,000 રૂપિયા લઈને  મૂળ રાજસ્થાનની એક મહિલા સાથે લગ્ન કરાવ્યા હતા અને લગ્નના આઠ દિવસ બાદ તે મહિલા કોઈને કશું કહ્યા વગર જતી રહેલ છે જેથી કરીને યુવાન સાથે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપી મહિલાઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના વાવડી રોડ ઉપર સમજુબા સ્કૂલની બાજુમાં આવેલ સાધુ વાસવાણી કુંજ સિંધી સોસાયટી બ્લોક નંબર 58 માં રહેતા અશોકભાઈ મૂળચંદભાઈ અડવાણી (47)હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રીતિબેન કેવલરામ વાઘવાણી રહે. એ-202 રોયલ રીજોઇસ-2, શીપ બંગલો, બીલાસીયા ચોકડી પાસે અમદાવાદ તથા નિશા રામચંદ્ર હેમલાની રહે. જોધપુર રાજસ્થાન વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, પ્રીતિબેનએ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા લઈને નિશાબેન સાથે ગત તા 21/6/26 ના રોજ તેના લગ્ન કરાવ્યા હતા અને માત્ર આઠથી નવ દિવસ રોકાયા બાદ નિશાબેન ઘરે કોઈને કશું કહ્યા વગર જતી રહેલ છે અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે અત્રે ઉલેખનીય છેકે, ભોગ બનેલા યુવાને સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારે તેની ફરિયાદ લેવામાં આવી ન હતી પરંતુ ત્યાર બાદ આ મામલો ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા સુધી પહોચ્યો ત્યાર પછી યુવાનની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News