મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત


SHARE









મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત

મોરબીના જેતપર ગામે છેલ્લા 18 દિવસથી ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમિયાન આજે મોડી રાત્રે ઉપવાસી નેહુલભાઈ અમૃતિયાની તબિયત લથડી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે દરમ્યાન આંદોલન સમિતિ દ્વારા સોમવારે રાત્રે 9:30 કલાકે ઉપવાસી છાવણી ખાતે ઉપવાસ કરી રહેલા ખેડૂતોના પારણા કરાવીને સરકાર અને ખાનગી વીજકંપની સામે વીજ પોલના વળતર માટે ગુજરાતના ખેડૂતોને સમિતિમાં જોડીને આંદોલન પાર્ટ 3 શરૂ કરવા માટેની જાહેરાત કરી છે.

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના પોલની સામે પૂરતું વળતર મેળવવા માટે થઈને છેલ્લા 18 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે 18 મા દિવસે મોડી રાત્રે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલભાઈ અમૃતિયાની તબિયત લથડી હતી જેથી તેમને સારવાર માટે પ્રથમ જેતપરમાં આવેલ સીએચસી ખાતે અને ત્યારબાદ મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે દરમિયાન આંદોલન સમિતિના સભ્યોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 18 દિવસથી ઉપવાસ કરી રહેલા નેહુલભાઈને જો કંઈ પણ થશે તો સમગ્ર ગુજરાતની અંદર તેના પડઘા પડશે અને હાલમાં ઉપવાસીઓની તબિયત લથડી રહી છે ત્યારે તેઓના હિત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સોમવારે રાત્રે 9:30 કલાકે જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી ખાતે ઉપવાસીઓના પારણા કરાવવા માટેનો નિર્ણય આંદોલન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે અને તેની સાથોસાથ સમગ્ર ગુજરાતમાંથી આ ખેડૂત આંદોલનને જે રીતે સમર્થન આપવામાં આવ્યું હતું તે જોતા સોમવારે યોજનાર પારણાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની અંદરથી ખેડૂતો આવે તેના માટે થઈને આહવાન કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા વીજ પોલના વળતર માટે જે નવી નીતિ જાહેર કરવામાં આવી છે તેને ધ્યાને લઈને પારણા કરવામાં આવી રહ્યા નથી નો અભ્યાસ સંપૂર્ણ પૂર્ણ થયો નથી તેવી પણ સ્પષ્ટતા આંદોલન સમિતિ દ્વારા કરવામાં આવી છે અને સોમવારે રાત્રે ઉપવાસીઓના 9:30 કલાકે પારણા કરવામાં આવ્યા બાદ આંદોલન પાર્ટ 3 માટેની કાર્યકમમાં આવેલ ખેડૂતો સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને આ આંદોલનની અંદર ન માત્ર જેતપર ગામની સમિતિ પરંતુ ગુજરાતભરના ખેડૂતોને બોલાવીને નવી સમિતિ બનાવીને વ્યૂહ રચના સાથે આંદોલન પાર્ટ 3 શરૂ કરવામાં આવશે તેવું પણ આંદોલન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે






Latest News