મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો


SHARE









હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો

હળવદના રાણેકપર ગામે નીલકંઠ મહાદેવ મંદિર માં જાળી અને એંગલ ફીટ કરવાનું કામ કરતાં વૃદ્ધ સહિતના કુલ પાંચ વ્યક્તિઓને બે મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓ દ્વારા ધારિયા, ધોકા અને પાઇપ વડે શરીરે આડેધડ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં બે મહિલા સહિત 12 લોકોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના રાણેકપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં રહેતા રતિલાલભાઈ પ્રભુભાઈ બાબરીયા (61)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચતુરભાઈ વાલજીભાઈ, નિકુલભાઈ મઘાભાઈ, ભાણજીભાઈ ચતુરભાઈ, અનિલભાઈ હેમુભાઈ, હેમુભાઇ વાલજીભાઈ, બાબુભાઈ વાલજીભાઈ, દાદુભાઇ બાબુભાઈ, શૈલેષભાઈ મઘાભાઈ, સુજલભાઈ શામજીભાઈ, શામજીભાઈ હેમુભાઇ, શિલ્પાબેન અનિલભાઈ તેમજ મનીષાબેન શામજીભાઈ રહે બધા રાણેકપર વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અને સાહેદ નીલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં જાળી અને એંગલ ફીટ કરી રહ્યા હતા જે બાબતનો ખાર રાખીને આરોપીઓ ધારીયા, પાઇપ, ધોકા વગેરે હથિયાર સાથે નીલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં આવ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા સાહેદોને આડેધડ માર્યો હતો ત્યારે મુકેશભાઈ અને જયસુખભાઈને માથાના ભાગે માર મારીને ગંભીર કરી હતી જ્યારે ચંદ્રિકાબેન અને જ્યોત્સનાબેનને માર મારીને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ કરી હતી તેમજ પ્રભુભાઈ ને માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી આમ ફરિયાદી સહિત કુલ પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News