મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા


SHARE









હકાભા ગઢવી-નિલેશ એરવાડીયાનો 2 કરોડની લેતી દેતીનો ઓડિયો વાયરલ થતાની સાથે જ કાર્યવાહી

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા


મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ કરી રાખેલા નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવીનો રૂપિયાની લેતી દેતી બાબતનો એક ઓડિયો વાયરલ થયા બાદ જેતપર ગામે ચાલતા આંદોલનની સમિતિ દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને નિલેશ એરવાડીયા ને હાલમાં આંદોલનમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે અને તેઓના વહેલી તકે પારણા કરી દેવામાં આવશે તેવું હાલમાં આંદોલન સમિતિના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે

મોરબીના જેતપર ગામે છેલ્લા 17 દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર મેળવવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેમાં પહેલા જ દિવસથી નિલેશ એરવાડીયા સહિતના 6 વ્યક્તિઓને ત્યારબાદ તેમાં ક્રમશઃ 3 વ્યક્તિઓ જોડાતા કુલ 9 વ્યક્તિઓ દ્વારા હાલમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે અને 17 માં દિવસે નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવી ફોન ઉપર વાત કરતા હોય તે પ્રકારનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જેતપર ગામે આંદોલન કરી રહેલા ખેડૂતોની સમિતિને ગાંધીનગર ખાતે ચર્ચા કરવા માટે લઈ જવા માટે થઈને બે કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવતી હોય તે પ્રકારની વાત સાંભળવા મળતી હતી જેથી કરીને આ ઓડિયોને ગંભીરતાથી લઈને જેતપર ગામે આંદોલન ચલાવી રહેલ આંદોલન સમિતિના સભ્યો દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને જેતપર ગામે આંદોલન સમિતિના સભ્યોએ નિલેશ એરવાડિયાને સમજાવીને તાત્કાલિક તેઓને આંદોલનમાંથી છૂટા કર્યા હતા

જોકે નિલેશ એરવાડીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેઓએ છેલ્લા 17 દિવસથી અન્નનો દાણો ખાધો ન હોવાથી તેઓની લોહીની ટકાવારી ઘટી ગઈ છે અને તેને મેડિકલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા માટેની ભલામણ કરવામાં આવે છે જેથી તેઓ હાલમાં સારવાર માટે હોસ્પિટલે જઈ રહ્યા છે અને આંદોલન સમિતિ દ્વારા જે પણ કહેવામાં આવશે તે તેઓને શિરોમાન્ય છે આ બાબતે આંદોલન છાવણી ખાતે જે મેડિકલની ટીમ સરકાર દ્વારા રાખવામાં આવી છે તેમને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી નિલેશ એરવાડિયાના લોહીનો કોઈ રિપોર્ટ કરવામાં આવ્યો નથી અને હાલમાં તેઓને હોસ્પિટલાઈઝ કરવા પડે તેવી તેમની સ્થિતિ ન હતી આમ આંદોલન સમિતિ દ્વારા નિલેશ એરવાડીયાને છુટા કરવામાં આવ્યા છે જોકે, નિલેશ એરવાડીયાએ પોતે પોતાની આબરૂ બચાવવા માટે થઈને હોસ્પિટલાઈઝ થાય છે તે પ્રકારનું રક્ષણ પત્રકારો સામે કર્યુ હતું






Latest News