મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ મોરબીના આંદરણા ગામે 7.36 લાખના રોકડ-દાગીનાની ચોરીના ગુનામાં એમપીની ગેંગના બે સાગરીત 4.53 લાખના મુદામાલ સાથે પકડાયા: 3 ની શોધખોળ
Breaking news
Morbi Today

ઔદ્યોગિક ભરતી મેળાથી મળી તક:  મોરબીના યુવાનને સિરામિક ઉદ્યોગમાં મળ્યો સારો રોજગાર


SHARE







ઔદ્યોગિક ભરતી મેળાથી મળી તક:  મોરબીના યુવાનને સિરામિક ઉદ્યોગમાં મળ્યો સારો રોજગાર

રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનોને તેમની લાયકાત મુજબ રોજગારીની ઉમદા તકો ઘરઆંગણે જ મળી રહે તે માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત થતા ભરતી મેળાઓ મોરબીના અસંખ્ય યુવાનોના સપનાઓને સાકાર કરવાનું સશક્ત માધ્યમ બન્યા છે. રોજગાર કચેરીના આ પ્લેટફોર્મના માધ્યમથી મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા ભુપેશભાઈ અરવિંદભાઈ જોશી આર્થિક રીતે પગભર બન્યા છે.

ભુપેશભાઈ જોશીએ બી.એ. (Bachelor of Arts) સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા હતા અને તેઓએ પોતાના ઉત્સાહજનક અનુભવો અને સફળતાની સાફલ્યગાથા શેર કરતા જણાવ્યું હતું કે, "હું લાંબા સમયથી મારી લાયકાતને અનુરૂપ એક સ્થિર અને પ્રતિષ્ઠિત નોકરીની શોધમાં હતો. આ દરમિયાન મને ઓદ્યોગીક ભરતીમેળાની માહિતી મળી હતી જેથી મેં તેમાં ભાગ લીધો હતો. આ ભરતી મેળામાં મોરબીના સિમ્પોલો વિટ્રીફાઇડ પ્રાઇવેટ લિમિટેડદ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને તેઓની શૈક્ષણિક ક્ષમતાના આધારે આ કંપનીમાં સી.એક્ઝિક્યુટીવ’ (C.Executive) ની મહત્વની પોસ્ટ ઉપર તેઓને જોબ મળી ગયેલ છે. અને તેઓને ખૂબ જ સારો પગાર પણ કંપની દ્વારા આપવામાં આવી રહ્યો છે. આમ સરકાર દ્વારા આયોજિત ભરતી મેળા ઘણા યુવાનોને રોજગાર માટેની ખૂબ જ  સારી તક પૂરી પડે છે.






Latest News