મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ


SHARE







મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડથી જડેશ્વર મંદિર સુધી અને જડેશ્વર મંદિરથી લઈને આસ્વાદપાન સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે જેથી કરીને તે રોડને આગામી ૮ દિવસ સુધી બંધ રાખવામા આવશે અને શ્રીકુંજ ચોકડીથી રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ વોકળા સુધીનો રોડ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે રોડ બંધ રહશે

મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં ભૂગર્ભ ગટર તેમજ સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના કામો હાલમાં પ્રગતિ હેઠળ છે જેથી ભૂગર્ભ ગટર લાઈન અને સ્ટ્રોમવોટર લાઈન મેઈન રોડ પર નાખવાની હોવાથી રેલ્વે સ્ટેશન રોડથી જડેશ્વર મંદિર સુધી અને જડેશ્વર મંદિરથી લઈને આસ્વાદપાન સુધી તા. ૭/0૬ થી ૧૪/0૬ (દિન-૮) સુધી બંધ રહેશે અને શ્રીકુંજ ચોકડીથી રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ વોકળા સુધીનો રોડ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે રોડ બંધ રહશે જેથી મોરબીની જાહેર જનતાએ વૈક્લીપ રૂટનો ઉપયોગ કરવા મનપાના અધિકારી જણાવ્યુ છે.






Latest News