મોરબીમાં મોબાઇલમાં વધુ પડતી વાત કરવાની ના પાડતા સગીરા દવા પી ગઇ
મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ
SHARE
મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ
મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડથી જડેશ્વર મંદિર સુધી અને જડેશ્વર મંદિરથી લઈને આસ્વાદપાન સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે જેથી કરીને તે રોડને આગામી ૮ દિવસ સુધી બંધ રાખવામા આવશે અને શ્રીકુંજ ચોકડીથી રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ વોકળા સુધીનો રોડ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે રોડ બંધ રહશે
મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં ભૂગર્ભ ગટર તેમજ સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના કામો હાલમાં પ્રગતિ હેઠળ છે જેથી ભૂગર્ભ ગટર લાઈન અને સ્ટ્રોમવોટર લાઈન મેઈન રોડ પર નાખવાની હોવાથી રેલ્વે સ્ટેશન રોડથી જડેશ્વર મંદિર સુધી અને જડેશ્વર મંદિરથી લઈને આસ્વાદપાન સુધી તા. ૭/0૬ થી ૧૪/0૬ (દિન-૮) સુધી બંધ રહેશે અને શ્રીકુંજ ચોકડીથી રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ વોકળા સુધીનો રોડ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે રોડ બંધ રહશે જેથી મોરબીની જાહેર જનતાએ વૈક્લીપ રૂટનો ઉપયોગ કરવા મનપાના અધિકારી જણાવ્યુ છે.