મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

વાંકાનેર ઢુવા માટેલ રોડ ઉપર અજાણી વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી, તપાસ શરૂ


SHARE







વાંકાનેર ઢુવા માટેલ રોડ ઉપર અજાણી વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી, તપાસ શરૂ

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ રેસી સિરામિક પાસે ખુલ્લા પટમાં કોઈ અજાણી વ્યક્તિની લાશને સળગાવવામાં આવી હતી અને તેની જાણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતક વ્યક્તિના મૃત દેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ રેસી સીરામીક પાસે ખુલી જગ્યામાં કોઈ અજાણી વ્યક્તિની લાશ સળગવામાં આવી હતી જેથી સળગાવેલ હાલતમાં ત્યાં લાશ પડી હોય આ અંગેની રેસી સીરામીક પાસે રહેતા મૂળ ચોટીલા તાલુકાના સખપર ગામના રહેવાસી રાધેશ્યામ રઘુરામભાઈ બારોલીયા (36) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક વ્યક્તિના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.વી. ખાંભલા ચલાવી રહ્યા છે અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.






Latest News