ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી


SHARE











હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી

હળવદના રાણેકપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને વાડીએથી જતા રહેવા માટે થઈને વાડી માલિકના ભાઈએ કહ્યું હતું જોકે યુવાન વાડીએથી ગયો ન હતો જેથી તેને લાફા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ છુટા પથ્થર મારીને પેટના ભાગે ઇજા કરી હતી અને જાહેરમાં ગાળો બોલીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ હતો જેથી યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ નર્મદા જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં સુખદેવભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મુકેશભાઈ કાંતિભાઈ ભીલ (44)એ હાલમાં કરસનભાઈ લાલજીભાઈ પટેલ રહે, રાણેકપર વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે આરોપીએ ફરિયાદીને સુખદેવભાઈની વાડીએથી જતા રહેવા માટે કહ્યું હતું અને ફરિયાદી વાડીએથી ગયેલ ન હોય જેથી આરોપીએ તેને લાફા મારી ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છૂટા પથ્થર મારીને પીઠના ભાગે ઇજા કરી હતી તેમજ ફરિયાદીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News