મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો


SHARE







વાંકાનેર ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

ચેમ્બર પ્રમુખ પ્રગ્નેશભાઈ પટેલનું સન્માન કરાયું 

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં ગઢની રાંગ પાસે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર સમિતિ દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહ (મોક્ષ કથા) માં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ અવસરે ઉપસ્થિત વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અને પાટીદાર સમાજ અગ્રણી તથા ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ વાંકાનેર) નું સન્માન કરવામાં આવ્યું હતું. 

વક્તા શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષીનાં વ્યાસાસને ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં ભાવિકો ઉમટી રહ્યા છે, સપ્તાહમાં આવતાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, મસ્તક પર સૂંડલામાં બાળ કૃષ્ણને બેસાડી નંદબાવા કથા મંડપમાં પ્રવેશતા  કૃષ્ણ કનૈયા લાલ કી જય, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી નાં નાદ સાથે નંદલાલનાં વધામણાં કરવામાં આવ્યાં હતાં, બહોળી સંખ્યામાં ઊમટેલાં મહિલાઓ ભાવવિભોર બની રાસોત્સવ સાથે નંદલાલને વધાવ્યા હતાં, શાસ્ત્રી જીએ પ્રસાદની વર્ષા કરી હતી, જ્યારે આજરોજ (શનિવારે) ગિરિરાજજીને છપ્પન ભોગ ધરાશે તથા નગરજનો દ્વારા આરતી અને દીપ યજ્ઞ કરવામાં આવશે.






Latest News