ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામે રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે રામધૂન યોજાઇ


SHARE







માળીયા (મી)ના વાધરવા ગામે રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે રામધૂન યોજાઇ

મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે માળિયાની તાલુકાના વાધરવા ગામે ગ્રામ પંચાયત દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય મંત્રીના દીકરા સહિત કાંતિભાઈના ટેકેદારોએ સહિતના લોકો હાજર રહ્યા હતા. અને રાજ્ય મંત્રી કાંતિભાઈના દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના લોક લાડીલા અને લડાયક ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાલમાં કેન્સરની મુંબઈ ખાતે સારવાર ચાલી રહી છે ત્યારે તેઓના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે તેમના અનેક કાર્યકર્તાઓ અને ટેકેદારો સહિતનાઓ દ્વારા ભગવાનને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે દરમિયાન માળિયા મીયાણા તાલુકાના વાધરવા ગામે ગ્રામ પંચાયત દ્વારા રામજી મંદિર ખાતે તા. 30/11 ને મંગળવારના રોજ રાત્રે રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય મંત્રીના દીકરા પ્રથમભાઈ અમૃતિયા, ગોપાલભાઈ સરડવા, જયદીપભાઈ કંડિયા, લાલજીભાઈ ગામી, અનિલભાઈ વરમોરા, જયદીપભાઈ દેત્રોજા, કેતનભાઈ વિલપરા, મણિભાઈ સરડવા સહિતના કાંતિભાઈના ટેકેદારોએ સહિતના લોકો હાજર રહ્યા હતા. અને રાજ્ય મંત્રી કાંતિભાઈના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. અને રામધૂન બોલાવી હતી.






Latest News