મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી: પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાને જીવન ટુંકાવ્યુ


SHARE













મોરબી: પત્ની સાથે બોલાચાલી થયા બાદ યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના બેલાથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર બેલા નજીક આવેલ એરસન પ્લાસ્ટર કંપનીના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ગૌતમ મગનભાઈ ખરાડી (22) નામના યુવાને પોતે પોતાની જાતે યુનિટમાં ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી આ બનાવની આગળની વધુ તપાસ એન.એસ.મેસવાણીયા ચલાવી રહ્યા છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે ગૌતમભાઈ ખરાડીના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા અને બનાવ બન્યો તે દિવસે પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેની પત્ની જતી રહેલ હોય યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો.

મારા મારીમાં ઇજા

મોરબીના પાનેલી ગામ નજીક પાવર હાઉસ પાસે પ્રભુભાઈ લાલજીભાઈ ચાવડા (37) નામના યુવાનને રાજુભાઈ તળશીભાઇ ચાવડાની વાડી નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા દુર્લભજીભાઈ વસ્તાભાઈ અમૃતિયા (70) નામના વૃદ્ધ જેતપર ગામના તળાવ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News