મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીની આંતરિક પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાની જેમ જ લેવામાં આવેલ.ત્યારબાદ તા.૧૯-૧૧-૨૫ના રોજ યુનિવર્સીટી કક્ષાની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં આગામી પરીક્ષામાં પેપર કઈ રીતે લખવા જોઈએ અને યુનિવર્સિટીની પરીક્ષામાં કઈ રીતે વધુ ગુણ મેળવી શકાય તે માટે પ્રો.કે.આર.દંગીએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત આંતરિક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓએ જે જે ભૂલો કરી હતી કે જે જે ક્ષતિઓ રહેવા પામી હતી તે સંદર્ભે ડૉ.એ.એચ.રાજપૂતે સમીક્ષાત્મક વર્ણન કરેલ અને હવે પછી આવું ન થાય તે સંદર્ભે અવગત કરેલ.કાર્યક્રમનું સંચાલન પ્રા.જે.એમ.કાથડે કરેલ.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા ડો.એ.કે.ધ્રુવે સંભાળેલ તથા આભાર વિધિ ડો.એન.જી.કોડિયાતરે કરી હતી






Latest News