મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રહેતા પરિવારની યુવતીને દિવાળી ઉપર વતનમાં જવાની માતાએ ના પડતાં અનંતની વાટ પકડી


SHARE











વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રહેતા પરિવારની યુવતીને દિવાળી ઉપર વતનમાં જવાની માતાએ ના પડતાં અનંતની વાટ પકડી

વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની દીકરીને દિવાળીના પર્વ ઉપર પોતાના વતનમાં જાવું હતું જો કે, તે યુવતીની માતાએ આ વર્ષે દિવાળીમાં વતનમાં જવું નથી તેવું કહ્યું હતું જેથી યુવતીને મનોમન લાગી આવતા તે ઘણા દિવસોથી સૂનમૂન રહેતી હતી દરમિયાન તેની માતા કવાર્ટરની બાહર જતાં યુવતીએ પોતાની જાતે પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસ્કોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ચંદ્રપ્રસાદ રાજપુતની 20 વર્ષની દીકરી શિવાનીદેવીએ લેબર ક્વાર્ટરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીને દિવાળીના તહેવાર ઉપર પોતાના વતનમાં જવું હતું પરંતુ તેના માતાએ આપણે આ વર્ષે દિવાળી કરવા નથી જવું તેવું યુવતીને કહ્યું હતું જેથી તેને મનોમન લાગી આવ્યું હતું અને છેલ્લા દસેક દિવસથી તે સુનમૂન રહેતી હતી અને બે દિવસથી કામ પર પણ ગયેલ ન હતી તેવામાં તે યુવતીએ તેની માતા રૂમની બહાર જતા રૂમની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News