મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઢૂવા નજીક તાપણામાં દાઝેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીના ઢૂવા નજીક તાપણામાં દાઝેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ઢુવા નજીક આવેલ સનહાર્ટ સીરામીકમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા સુકુતીબેન સુભાષભાઈ બહેરા નામની ૪૮ વર્ષીય મહિલાને દાજી ગયેલી હાલતમાં ગત તા.૩-૧૨ ના રોજ ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તપાસ દરમિયાન ખુલ્યુ હતું કે ઓરડી નજીક ઠંડીના લીધે તાપણુ કરવામાં આવેલ હોય અને સુકાતીબેન બહેરા ત્યાં કચરો વાળી રહ્યા હતા તે દરમિયાન તેઓના કપડાંને તાપણાની જાળ લાગી જતાં તેઓ દાઝી ગયા હતા અને જેથી કરીને તેઓને સારવારમાં અહીંની ક્રિષ્ના હોસ્પીટલે ખસેડાયા હતા.છેલ્લા દસેક દિવસથી સુકાતીબેન બહેરા સારવારમાં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે હતી અને ગઈકાલ તા.૧૨ ના રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન સુકુતીબેન સુભાષ બહેરા નામની ૪૮ વર્ષીય મજુર મહિલાનું મોત નિપજયું હોવાનું હાલ જાણવા મળેલ છે.બનાવ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં એ ડીવીઝન પોલીસે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા આગળની તજવીજ હાથ ધરી છે.

કાર-બાઇક અકસ્માતમાં બેને ઈજા

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર રહેતા સજજનભાઈ રામલખનભાઈ ભાગેલ (૩૫) અને દીપક વશરામ બાઘેલ (૨૧) નામના બે યુવાનો બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત સજજનભાઇ અને દીપકભાઈને અત્રેની સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

પોરબંદરના દેગામ ખાતે રહેતો કરણ નેભાભાઇ ઓડેદરા નામના ૧૯ વર્ષીય યુવાનને એ.કે.હોટલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો. જયારે હળવદના ટીકર રણમાં રહેતા અજુબાઈ સંધિ નામના ૮૮ વર્ષીય વૃદ્ધા બાઇકમાં જતા હતા તે દરમિયાન રસ્તામાં બાઇકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત અજુબાઈને અહીં આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News