મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભવ્ય કાશી દિવ્ય કાશી અંતર્ગત કાલે બાઈક રેલી-કળશયાત્રા તેમજ લાઇવ સ્કીનનું આયોજન


SHARE











મોરબીમાં ભવ્ય કાશી દિવ્ય કાશી અંતર્ગત કાલે બાઈક રેલી-કળશયાત્રા તેમજ લાઇવ સ્કીનનું આયોજન

'ભવ્ય કાશી દિવ્ય કાશી' માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રણ લીધુ હતું કે કાશી વિશ્વનાથ મહાદેવના જ્યોતિર્લિંગના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરીને વિશ્વભરમાં વસતા શિવભક્તો માટે વિશાળ કોરિડોર બનાવવામાં આવે ત્યારે આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ પૂર્ણ થતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા આવતી કાલ તા.૧૩-૧૨ ના રોજ સવારે ૧૧ કલાકે કાશી વિશ્વનાથ બાબાના આર્શીવાદથી આ ભવ્ય કોરિડોર દેશને સમર્પિત કરશે.તે અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા મોરબી ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત તા.૧૩ ના સવારે ૧૦ વાગ્યે યુવા ભાજપની ટીમ દ્રારા ભવ્ય બાઈક રેલી યોજાશે આ રેલી નરસંગ ટેકરી મંદિરથી સ્વાગત હોલ ખાતે ત્યાંથી કેનાલ રોડ થઇને ઉમિયા સર્કલથી સનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલના સ્ટેચ્યૂ ખાતે અને ત્યાંથી પરત નરસંગ ટેકરી મંદિર ખાતે પૂર્ણ થશે ત્યારબાદ

તેમજ સવારે ૧૦ કલાકે મહીલા ભાજપની ટીમ દ્રારા કળશયાત્રા યોજાશે.બાદમાં કાશી ખાતે પીએમ મોદી જીર્ણોદ્ધાર બાદના નવનિર્મીત કાશી વિશ્વનાથ મહાદેવના જ્યોતિર્લિંગના પ્રાચીન મંદિરને જનતાને સમર્પીત કરવાના છેતે લાઈવ કાર્યક્રમ તા.૧૩-૧૨ ને સોમવારે સવારે ૧૧ કલાકે યોજાનાર છે તે લાઇવ કાર્યક્રમ લોકો નિહાળી શકે તે માટે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા તેમજ જીલ્લા ભાજપની ટીમ દ્રારા નરસંગ મંદિર રવાપર રોડ ખાતે લાઇવ કાર્યક્રમ જોઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ જીલ્લા ભાજપ દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મહામંત્રી જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ અને રણછોડભાઈ દલવાડી તથા જિલ્લા ભાજપની ટીમ તેમજ યુવા-મહીલા ભાજપ ટીમ દ્રારા જહેમત ઉઠાવનામાં આવી રહી છે.






Latest News